Proud of Gujarat
FeaturedGujaratINDIA

કર્ણાટકના મૈસુર શહેરમાં બસ સ્ટોપની ડિઝાઈનને લઈને બીજેપી નેતાઓ વચ્ચે ઘર્ષણ.

Share

ભાજપમાં આંતરિક વિખવાદના અહેવાલો બહુ ઓછા આવે છે, પરંતુ જ્યારે આવું કંઈક થાય છે ત્યારે મામલો ખૂબ વધી જાય છે. આવું જ કંઈક કર્ણાટકમાં થયું છે, જ્યાં ધારાસભ્ય સાથે સાંસદની નારાજગી સામે આવી છે. કર્ણાટકના મૈસુર શહેરમાં બસ સ્ટોપ પર ત્રણ ગુંબજ હતા. મહત્તવની વાત એ છે કે તેને ખુદ ભાજપના ધારાસભ્ય રામદાસે બનાવડાવ્યું હતું. સાંસદએ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ ગુંબજને હટાવવો પડ્યો હતો.

વાસ્તવમાં થોડા દિવસો પહેલા જ બીજેપી સાંસદે મૈસુર બસ સ્ટોપ પર બનેલા ત્રણ ગુંબજને તોડી પાડવાની વાત કરી હતી. આ પછી હવે આ ગુંબજ તોડી પાડવામાં આવ્યા છે. નેશનલ હાઈવે-766 ના કેરળ બોર્ડર કોલ્લેગલા સેક્શન પર બસ સ્ટોપ પર માત્ર એક જ ગુંબજ બાકી છે, જેને લાલ રંગવામાં આવ્યો છે. કર્ણાટકના બીજેપી સાંસદ પ્રતાપ સિંહાએ કહ્યું હતું કે એન્જિનિયરોએ બસ સ્ટોપ પર મસ્જિદ જેવું માળખું બનાવ્યું છે જેને તોડી પાડવું જોઈએ.

Advertisement

ભાજપના સાંસદ પ્રતાબ સિમ્હાએ પણ આ બસ સ્ટોપને લઈને ધમકી આપી હતી કે મેં એન્જિનિયરોને ત્રણ-ચાર દિવસમાં સ્ટ્રક્ચર તોડી પાડવા કહ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો હું જેસીબી લઈને તેને તોડી પાડીશ. તેમણે કહ્યું, “મેં સોશિયલ મીડિયા પર જોયું છે. બસ સ્ટેન્ડ પર ત્રણ ગુંબજ છે, એક મધ્યમાં મોટો અને તેની બાજુમાં બે નાના છે. તે માત્ર એક મસ્જિદ છે.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મૈસુરના મોટાભાગના વિસ્તારોમાં આવા ગુંબજ જેવા બાંધકામો બનાવવામાં આવી રહ્યા છે, જે ખોટું છે.

નોંધપાત્ર વાત એ છે કે, સ્થાનિક ભાજપના ધારાસભ્ય રામદાસે બસ સ્ટોપનું નિર્માણ કરાવ્યું હતું. તેમના સાથીદારની ટિપ્પણીઓને રદિયો આપતા, નેતાએ કહ્યું કે બસ આશ્રયની ડિઝાઇન મૈસૂર પેલેસથી પ્રેરિત હતી. ત્યાર બાદ રામદાસે સ્થાનિક લોકોને સંબોધીને લખેલા પત્રમાં માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમણે મૈસુરની ધરોહરને ધ્યાનમાં રાખીને બસ સ્ટોપની રચના કરી હતી.

જોકે બાદમાં ધારાસભ્યએ પોતે જ આ પૈકીના બે ગુંબજ તોડાવી દીધા છે. તેણે કહ્યું છે કે અભિપ્રાયના મતભેદ હતા પરંતુ તેમનો ઉદ્દેશ્ય કોઈને દુઃખ પહોંચાડવાનો ન હતો. તેમણે કહ્યું છે કે ભાજપ આ મુદ્દે કોઈપણ પ્રકારની અથડામણ ઈચ્છતી ન હતી, તેથી જ તેમણે આમાંથી બે ગુંબજ હટાવી દીધા.


Share

Related posts

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

પોર નજીક શાહપુરા ગામની સીમમાં કેનલ ઉપર વરનામાં દારૂ ભરેલ ટેન્કર મળી આવ્યું.

ProudOfGujarat

અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંગ દ્વારા આયોજિત કિરીબાના સંસ્કારના સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!