Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ.

Share

મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન 22 જાન્યુઆરી સુધી રદ્દ કરવામાં આવી મહેસાણા – પાટણને જોડતી ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે ત્યારે આ ટ્રેનોને લઈને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા – પાટણને જોડતી 4 ટ્રેન રદ્દ કરાઈ છે આ અંગેની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર જગુદણ- મહેસાણા વચ્ચે રેલલાઇન અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કામગીરીના કારણે 4 પેસેન્જર સ્પેશિયલ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મહેસાણા- પાટણ, પાટણ – મહેસાણા, મહેસાણા – વિરમગામ અને સાબરમતી – પાટણ સ્પેશિયલ ટ્રેન 9 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે. રેલવેની કામગીરી પૂર્ણ થયા બાદ આ ટ્રેનોને ફરી રાબેતા મુજબ દોડાવવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રદ્દ કરવામાં ટ્રેનોમાં 09481 મહેસાણા- પાટણ સ્પે. ( દૈનિક ), 09483 મહેસાણા- પાટણ સ્પે. ( સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09484 પાટણ- મહેસાણા સ્પે. (સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09476 પાટણ- મહેસાણા સ્પે. ( દૈનિક ), ટ્રેન નં. 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ ( દૈનિક ), 09492 વિરમગામ – મહેસાણા સ્પે.દૈનિક, ટ્રેન નં. 09369 સાબરમતી- પાટણ સ્પેશિયલ
( રવિવાર સિવાય દરરોજ ) અને ટ્રેન નં . 09370 પાટણ- સાબરમતી સ્પેશિયલ ( રવિવાર સિવાય દરરોજ ) નો સમાવેશ થાય .

Advertisement

Share

Related posts

વાલીયાની ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

રાજપીપલા: નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!