Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પાછીયાપુરા ગામ કે જ્યાં આજે આઝાદીના ૭૫ વર્ષ થયા છતાં સ્મશાનની સુવિધાથી ગ્રામજનો વંચિત છે.ગુરુવારના રોજ પાછીયાપુરા ગામમાં એક વ્યક્તિનું મરણ થતા વરસતા વરસાદમાં અંતિમવિધિ કરવાનો વારો આવ્યો હતો.

મીડિયા ટીમ દ્વારા જ્યાં અંતિમવિધિ થઇ રહી હતી તે જગ્યાની મુલાકાત લેતા વરસતા વરસાદમાં મૃતકની અંતિમવિધિની ક્રિયા તેઓના સ્વજનો દ્વારા સંપન્ન કરાઇ રહી હતી. તો બીજી તરફ પાછીયાપુરા ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આ બાબતે તાલુકા તથા જિલ્લા કક્ષાએ રજુઆત કરી છે. પંચાયતમાં બે વાર ઠરાવ પણ કર્યા છે. અમે સ્મશાનની જગ્યા માટે આગળ રજુઆત કરીશું એમ તેઓએ જણાવ્યું હતું.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

રાજ્યમાં યોજાયેલ ત્રિદિવસીય પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ૩૦ હજાર જેટલી શાળાઓને આવરી લેવાઇ.

ProudOfGujarat

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!