Proud of Gujarat
GujaratFeaturedINDIA

વધથી તાલુકા બહાર ગયેલા શિક્ષકોને મૂળ તાલુકામાં ધોરણ 6 થી 8 નાં વિકલ્પ આપવા રજૂઆત કરાઈ.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવેલ છે કે અગાઉ વધઘટ બદલી કેમ્પમાં ધોરણ 1 થી 5 ના ઘણા શિક્ષકોને તાલુકા બહારની શાળામાં જવુ પડેલ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંદર્ભ દર્શિત તારીખ 19/12/20 થી રજૂઆત કરેલ હતી કે વધ ઘટ બદલી કેમ્પમાં વધ પડેલ ધોરણ 1 થી 5 ના શિક્ષકોને મૂળ શાળામાં ધોરણ 6 થી 8 ની જગ્યા હોય તો વિકલ્પ આપવામાં આવે અને મૂળ શાળામાં સમાવવા રજૂઆત કરવામાં આવેલ છે.

હાલ વિકલ્પ કેમ્પ થાય તેમાં તાલુકા બહાર ગયેલા 1 થી 5 ના શિક્ષકોને ધોરણ-6 થી 8માં મૂળ શાળા કે મૂળ તાલુકા શાળા કે મૂળ તાલુકામાં વિકલ્પની તક મળે તેમ કરવા વિનંતી છે, વધ-ઘટના કેમ્પ થયા તેમાં સિનિયર શિક્ષકો બહાર ગયા અને જુનિયર શિક્ષકો તાલુકામાં રહ્યા છે તો એ જે તાલુકામાં જુનિયર છે છતાં વિકલ્પનો લાભ લઇ શકે છે અને સિનિયર નથી લઇ સકતા આ બાબતે અમારી વધથી ગયેલા શિક્ષકોને મૂળ શાળા, મૂળ તાલુકા શાળા કે મૂળ તાલુકામાં સમાવવા રજૂઆત કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી એ સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ


Share

Related posts

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગમાં બર્ડફલુની દહેશત : શંકસ્પદ હાલતમાં કાગડાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની શ્રીમતી એમ એમ શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આજરોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!