Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર તાલુકાનાં કંબોઇ ખાતે આવેલ સ્તંભેશ્વર મંદિર કોરોના અંતર્ગત બંધ કરવામાં આવ્યું.

Share

હાલમાં ગુજરાતમાં દિવસે દિવસે કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહેલ હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ કાવી કંબોઈ ખાતેનું સ્તંભેશ્વર મહાદેવ મંદીર અનિશ્ચિત સમય માટે શ્રધ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યુ છે. મંદિરના ગાદીપતિ = વિધ્યાનંદાજી મહારાજે એક જાહેર નિવેદન કરીને જણાવ્યુ છે કે કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવનું મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવશે. કોરોના સંક્રમણને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે તમામ ભક્તોએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : એસ.ટી,એસ.સી, ઓ.બી.સી વર્ગની મહિલાઓને અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના દ્વારા ધારાસભ્ય સી.કે.રાઉલજીને આવેદન આપ્યું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં 12 દિવસથી ચાલી રહેલી ફેનસિંગ કામગીરી સ્થગિત કરતું નર્મદા વહીવટી તંત્ર.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી – ટપક સિંચાઇ અંગે જાગૃતિ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!