Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલમાં આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે મિટિંગ યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિનની ઉજવણીના આયોજન માટે માંગરોળ ઉમરપાડા સમસ્ત આદિવાસી સમાજ પંચના આગેવાનોની મિટિંગ યોજાઇ હતી.

વાંકલ ગામમાં ગત વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી માંગરોળ ઉમરપાડા તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી એનાથી પણ વિશેષ આયોજન ચાલુ વર્ષે નવમી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી માટે થઈ રહ્યું છે જેના ભાગરૂપે વાંકલ ગામે રાજીવ ગાંધી ભવન ખાતે આદિવાસી આગેવાનો અરૂણભાઇ ચૌધરી, મુકુંદભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, ઉજાસ ચૌધરી, પ્રકાશ ગામિત, ભુપેન્દ્ર ચૌધરી, ઉજજવલ ગામિત સહિતના આગેવાનો દ્વારા મીટીંગમાં ઉજવણીનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉજવણીમાં જોડાઈ તે પ્રમાણે આયોજન કરાયું છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

ProudOfGujarat

ડભોઈમાં આત્મિય યુવા સંગઠન દ્વારા ખિચડીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પ્રદુષિત વેસ્ટનો નિકાલ કરતો આઈશર ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!