Proud of Gujarat
FeaturedGujaratINDIA

કામના દબાણને કારણે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું અંગત જીવન પ્રભાવિત થાય છે – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સર્વેનું તારણ.

Share

– અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જેઓ આંશિક રીતે ઘરેથી કામ કરી રહ્યા છે તેમના માનસિક સ્વાસ્થ્ય પર કોવિડને કારણે વિપરીત અસર થઈ છે, જે કોવિડ પહેલાના સમયગાળામાં 54 ટકાના આરોગ્યની સ્થિતિના પ્રમાણથી ઘટીને કોવિડ પછીના સમયગાળા દરમિયાન નોંધપાત્ર ઘટી ને 34 ટકા થઈ છે.

– મુખ્યત્વે (89 ટકા) લોકોની અપેક્ષા છે કે નોકરીદાતાઓ આરોગ્ય અને વેલનેસ કાર્યક્રમોનો અમલ કરે અને માત્ર (75 ટકા) તેમના નોકરીદાતા દ્વારા હાલમાં જે ઓફર કરાઈ છે તેનાથી સંતુષ્ટ છે.

Advertisement

મહામારીએ વેલનેસ અને માનસિક આરોગ્યના સંબંધોને સુખાકારી સાથે જોવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે, 86 ટકા લોકો શારીરિક તેમજ માનસિક આરોગ્ય બંનેને સુધારવા માટેની પ્રવૃત્તિઓમાં સમાન રીતે જોડાયેલા છે, એવું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સનું માનવું છે. ભારતની અગ્રણી ખાનગી સામાન્ય વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા હાથ ધરાયેલ આ સર્વેનો હેતુ આજની મહામારી પછીના યુગમાં આરોગ્ય અને સુખાકારી તરફ સક્રિય રીતે સમજવાનો છે. તંદુરસ્ત રહેવા તરફનો આ સક્રિય અભિગમ કોવિડ પછીના વિશ્વમાં ચેરી-પિકિંગ હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સમાં વધુ સ્પષ્ટપણે જોવા મળે છે. વધી રહેલી જાગૃતિ ઉપરથી પણ તે સ્પષ્ટ થાય છે, અને તેથી, આરોગ્ય વીમાની માંગ પણ વધી છે.

આરોગ્ય અને સુખાકારી તરફ ગ્રાહકોના વર્તનમાં એકંદર પરિવર્તનને સમજવા માટે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે દેશભરમાં 1532 થી વધુ લોકોનો સર્વે હાથ ધર્યો હતો, જેમાં વિવિધ મેટ્રો શહેરોમાં વિવિધ હોદ્દાઓ ઉપર આંશિક રીતે ઘરેથી કામ કરતા અને સંપૂર્ણપણે ઘરેથી કામ કરતાં લોકોનો સમાવેશ છે. સર્વેમાં વધુ જાણવા મળ્યું છે કે પ્રત્યેક ત્રણમાંથી બે પ્રતિભાગીઓ યોગ્ય દિશામાં પગલું લેવા માટે તંદુરસ્ત જીવનશૈલીના ફાયદાઓથી વાકેફ હતા.

આરોગ્ય અને સુખાકારી સર્વેના તારણો પર ટિપ્પણી કરતાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના અંડરરાઈટીંગ, રિઈન્સ્યોરન્સ અને ક્લેમ્સના વડા શ્રી સંજય દત્તાએ કહ્યું હતું કે, “જનતાની પરિવર્તિત ધારણા સાથે, આજે ગ્રાહકો વીમા દાતા તરફ માત્ર માંદગીના સમયમાં નાણાકીય પ્રતિરક્ષા માટે જ નહીં પણ તેમની સાકલ્યવાદી સુખાકારીની યાત્રામાં ભાગીદાર તરીકે જુએ છે. વધુમાં, આ સર્વેક્ષણ દ્વારા, અમે 47 ટકા લોકો અને 42 ટા યુવા જૂથ (25-35 વર્ષ) ની માનસિકતામાં પરિવર્તન જોયું છે, જેઓ માત્ર સુદ્રઢ દેખાવ માટે જ નહીં પરંતુ પોતાના માટે વધુ સારું લાગે તે માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માંગે છે. તેથી એકંદર સુખાકારીને કેન્દ્રમાં રાખીને, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ આરોગ્ય-સભાન ભારત તરફ એક માર્ગદર્શક તરીકે કામ કરવા માગે છે.

તંદુરસ્ત આદતો કાયમી છે અને તે વધતી રહે છે તેથી, 100 ટકા પ્રતિભાગીઓ જેઓમાં કેટલીક તંદુરસ્ત આદતો છે તેઓ તેને લાંબા ગાળાના ધોરણે અપનાવે તેવી સંભાવના છે, અને જેમને આ આદતો નહોતી, તેઓ મહામારીને કારણે સારી આદતો અપનાવે તેવી શક્યતા છે.

માનસિક આરોગ્યનો એકંદર સુખાકારી સાથે સંબંધ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જેઓ આંશિક રીતે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તેમના માનસિક આરોગ્ય ઉપર કોવિડને કારણે વિપરીત અસર થઈ છે, ડેટા દર્શાવે છે કે કોવિડ પહેલાના સમયગાળામાં 54 ટકાના આરોગ્યની સ્થિતિના પ્રમાણથી ઘટીને કોવિડ પછીના સમયગાળા દરમિયાન નોંધપાત્ર ઘટી ને 34 ટકા થઈ છે.

અભ્યાસમાં રસપ્રદ વાત એ જાણવા મળી છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ સારી રીતે આરોગ્ય જાળવી શકે છે. જ્યારે મહામારી દરમિયાન માનસિક આરોગ્ય બંને માટે એક પડકાર હોય તેવું લાગતું હતું, ત્યારે માત્ર 35 ટકા પુરુષોની સરખામણીએ 38 ટકા મહિલા પ્રતિવાદીઓ તેમના માનસિક આરોગ્યની સ્થિતિથી સંતુષ્ટ હતા, એ જ રીતે, પુરૂષોની સરખામણીએ મહિલાઓ વધુ સારી રીતે શારિરીક આરોગ્ય જાળવી શકે છે. શારીરિક તંદુરસ્તી સંબંધે 42 ટકા પુરુષોની સરખામણીમાં 49 ટકા મહિલાઓ સંતુષ્ટ હોવાનું તારણ છે.

ભૌગોલિક બદલાવને ધ્યાનમાં રાખીને, મુંબઈ અપવાદ રહ્યું છે, જ્યારે દિલ્હી, બેંગ્લોર, કોલકાતા અને પુણે જેવા મુખ્ય મેટ્રો શહેરોમાં શારીરિક અને માનસિક આરોગ્યનો ગુણોત્તર ઘટી ગયો છે. માનસિક આરોગ્યને મુદ્દે અમદાવાદ અડીખમ રહ્યું છે. જ્યારે ભારતમાં માનસિક સુખાકારીના સંદર્ભમાં એકંદર તફાવત 14 (કોવિડ પહેલા વિરૂદ્ધ કોવિડ પછી) છે, ત્યાં આ બે શહેરો મુંબઈ અને અમદાવાદમાં જ્યાં અંતર ન્યૂનતમ (અનુક્રમે 7 અને 6) છે.

સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે પરિવારના નજીકના સભ્યને કોવિડ સંક્રમણ થયું હોય ત્યારે માનસિક સ્વાસ્થ્યની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો (15 ટકા) થયો છે જે કોવિડ પહેલાં 49 ટકા અને કોવિડ પછી 34 ટકા થયો છે. તેનાથી વિપરીત, જ્યારે વ્યક્તિએ પોતે કોવિડ સંક્રમિત થઈ ત્યારે વ્યક્તિની માનસિક આરોગ્યની સ્થિતિ સમાન રહી હતી.

સાકલ્યવાદી સુખાકારીના માર્ગમાં પડકારો

વ્યક્તિગત આરોગ્ય સંબંધિત વધેલી પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડતા, સર્વેમાં ખુલાસો કરાયો છે કે વ્યક્તિગત સમય (45 ટકા) અને નાણાકીય (44 ટકા) અભાવ તંદુરસ્ત આદતો અપનાવવામાં ટોચની અવરોધક છે. ઘરની જવાબદારી એ મહિલાઓ માટે અન્ય પડકાર છે જેમાં પુરુષો સાથે સરખામણીમાં 44 ટકા મહિલાઓ અસરગ્રસ્ત છે.

વધુમાં, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને પુણે જેવા શહેરોમાં નાણાકીય કટોકટી એક મોટો પડકાર જણાય છે, તેથી આ શહેરોમાં મોટાભાગના લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. જ્યારે મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને પુણેમાં સમયના સંચાલનની સમસ્યા વધુ છે.

આ યાત્રામાં મુખ્ય ભાગીદાર તરીકે કર્મચારીઓ

દિલ્હી, હૈદરાબાદ અને કોલકાતા જેવા શહેરોના પરિણામો દર્શાવે છે કે કામના તણાવને કારણે દર ત્રણ માંથી લગભગ એક વ્યક્તિનું અંગત જીવન પ્રભાવિત થાય છે. મુખ્યત્વે (89 ટકા) લોકો અપેક્ષા રાખે છે કે નોકરીદાતાઓ આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમોનો અમલ કરે અને ફક્ત (75 ટકા) તેમના માલિકો દ્વારા હાલમાં જે ઓફર કરવામાં આવી રહી છે તેનાથી સંતુષ્ટ છે. ઉત્પાદક પરિણામો માટે કામનું ટકાઉ સ્થળ આવશ્યક છે તે હકીકત પર પ્રકાશ પાડતા, નોકરીદાતા દ્વારા પહેલેથી જ પૂરા પાડવામાં આવેલા વિવિધ પાસાઓ હવે આરોગ્ય વીમો, જિમ અને લવચીક કાર્યસ્થળ જેવી સ્વચ્છ બની ગયા છે. વધુમાં, કર્મચારીઓને નવા નોર્મલના ભાગરૂપે કેટલીક સુવિધાઓની પણ જરૂર પડે છે જેમ કે નિયમિત આરોગ્ય તપાસ, ઓફિસના કામ – વ્યક્તિગત જીવનનું સંતુલન, અને કાફેટેરિયામાં આરોગ્યપ્રદ આહાર અને કાર્યસ્થળે અર્ગનોમિક્સ સમયની જરૂરિયાત બન્યાં છે.

ટેકનોલોજી અને વર્ક-કલ્ચરના સ્વરૂપમાં બદલાવ

મહામારીને કારણે ટેકનોલોજીના ઉપયોગને વેગ મળતાં, સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મેડિકલ ઉપકરણો અને એપ્સનો સતત ઉપયોગ કરતાં જે લોકો કોવિડ સંક્રમિત થયા છે તેઓ તેમાંથી સ્વસ્થ થયા બાદ આ આદતો છોડવાની શક્યતા વધારે છે. ડેટા દર્શાવે છે કે 70 ટકા લોકો આરોગ્યની દેખરેખ રાખવા માટે વેબસાઇટ્સ, સ્માર્ટફોન એપ્સ, ફિટનેસ મોનિટર અને એક્ટિવિટી ટ્રેકર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે પણ ભવિષ્યમાં માત્ર 53% લોકો આનો ઉપયોગ કરવા માગે છે, જે 17 ટકાનો ઘટાડો દર્શાવે છે.

કાર્યસ્થળના વાતાવરણની દ્રષ્ટિએ, કર્મચારીઓ દ્વારા હાઇબ્રિડ વર્ક કલ્ચર ઓછું પસંદ કરવામાં આવે છે અને 70 ટકા ક્યાં તો ઘરેથી અથવા ઓફિસથી નિયમિત કામ કરવાનું પસંદ કરે છે. સર્વેમાં કાર્યસ્થળના પર્યાવરણ માટે આગળ એક નવું ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 40 ટકા અનૌપચારિક બેઠક સાથે ખુલ્લી ઓફિસ જગ્યા પસંદ કરે છે, 37 ટકા નિયુક્ત ડેસ્ક સાથે નિયમિત બેઠકને પસંદ કરે છે અને 23 ટકા ઓફિસ વાતાવરણમાં નહીં સોંપાયેલ ડેસ્ક સાથે નિયમિત બેઠક પસંદ કરે છે.

અહેવાલના તારણોનું સમાપન કરતા શ્રી દત્તાએ કહ્યું કે, “સર્વેક્ષણ દર્શાવે છે કે તંદુરસ્ત આદતોને કેન્દ્રમાં રાખીને આરોગ્ય અને સુખાકારી સીમા પ્રકાશમાં આવી છે. સામૂહિક દ્રષ્ટિએ નમૂનારૂપ પરિવર્તનને પરિણામે પોતાની અને તેમના પ્રિયજનોની સાકલ્યવાદી સુખાકારી જાળવવા માટે આર્થિક, શારીરિક અને માનસિક રીતે વધુ રોકાણ કરવાની વૃત્તિમાં વધારો થયો છે.

સુચિત્રા આયરે


Share

Related posts

સુરતની સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યા બાદ પી.એમ રૂમનું તાળું તોડાયું હોવાની ધટનાને પગલે વિવાદ ઉભો થવા પામ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના કહાન ગામ ખાતેથી ગૌવંશ માસનો જથ્થો અને ગાયો સાથે બે ઈસમોની ધરપકડ કરતી પોલીસ

ProudOfGujarat

કેબીનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાનો લવેટ ખાતે સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!