Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

Share

નડિયાદમાં શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આજે ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

બુધવારે નડિયાદના આંગણે ૮૨ દિવસ મહા મંગલકારી ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ.આ.ભ. દર્શનવલ્લભસુરિશ્વરજી મહારાજ અને પૂ.સા.નિર્મલગુણાશ્રીજી મ.સા.આદિ ઠાણાની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગજરાજ, ઘોડા, ઊંટગાડી, પુનેરી ઢોલ, શહેનાઈ વાદકો, બેન્ડવાજા સહિત 35 બગીઓ જોડાઈ હતી.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા સવારે આ શોભાયાત્રાનુ પ્રસ્થાન કિડની હોસ્પિટલ પાસે આવેલ સુપાશ્વનાથ જૈન દેરાસરથી નીકળી અને નગરના રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ મંડળીઓ અને હિંમતનગરના બેન્ડે આકર્ષક જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, 18 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

ભરૂચ-અામોદ પોલીસે ચોરીના કેમિકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં..

ProudOfGujarat

H3N2 વાયરસને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!