Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લા જેલમાં કાચા કામના કેદીએ જેલમાં કર્યો આપઘાત.

Share

નડિયાદ જિલ્લા જેલમાં માનસિક રોગથી પીડાતા કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.

નડિયાદ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં કુલ ૮ આરોપીઓ જેલમાં સજા કાપતા હોય વર્ષ 2020 માં જે અંતર્ગત સંજય પરમાર નામના એક કેદીએ રાત્રિના બે વાગ્યે જેલના વોશરૂમમાં જઇ ચાદરનો છેડો ફાડી વેન્ટિલેશન સાથે લટકી જઈ આત્મહત્યા કરી લીધાનું જેલરે જણાવ્યું છે. આ કેદી માનસિક રોગથી પીડાઈ રહ્યો હતો અને છેલ્લા બે વર્ષથી નડિયાદ જિલ્લા જેલમાં મર્ડર કેસમાં સજા ભોગવી રહ્યો હતો. આ બનાવની જાણ થતા જેલર સહિતના અધિકારીઓ અને નડિયાદના એસ.પી તેમજ પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા આ કેદીના મૃતદેહને સંભાળી આગળની તજવીજ હાથ ધરેલ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પેટન્ટ વિશે જનજાગૃતિ લાવવા બદલ જીટીયુના નિષ્ણાત અને સંલગ્ન કૉલેજ આઈપીઆર એવોર્ડથી સન્માનિત

ProudOfGujarat

પાલેજ નગર લોકડાઉન, ભાવોમાં વધારો ના થાય માટે પંચાયત દ્વારા કાળજી લેવાઈ.

ProudOfGujarat

મતદારોમાં પણ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો માટે શ્રી નિનામાની જાહેર અપીલ રાજપીપલા સહિત જિલ્લાભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની થયેલી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!