Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનાર ઇસમને જેલ હવાલે કરતી નડિયાદ પોલીસ

Share

ગણપતિ વિર્સજન તથા ઇદે મિલાદનો તહેવાર હોય જેથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ મુકનાર ઇસમો ઉપર સતત નજર રાખવામાં આવેલ હતી. દરમ્યાન એક ઇસમ ધ્વારા લોકોની ધાર્મિક લાગણી દુભાવે તેમજ કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકવામાં આવેલ હતી. જેથી પોસ્ટ મુકનાર ઇસમ વિરુધ્ધ નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આરોપી જયેશભાઇ ફતેસિંહ પરમાર રહે.પીપળાતા ગાંધીપુરા નડિયાદનો હોવાનું જણાતા આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીનું જેલ વોરંટ ભરી આપતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને હાલમાં પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારા સતત સોશ્યલ મીડીયા પર વોચ રાખવામાં આવે છે અને કોઇ કામી વૈમનસ્ય ફેલાવનાર ઇસમો ભવિષ્યમાં મળી આવશે તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

મલ્ટીપ્લેક્ષમાં શા માટે રહે છે પ્રેક્ષકોની પાંખી હાજરી ? જાણો વધુ.

ProudOfGujarat

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ : બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!