Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમા અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો

Share

નડિયાદ  સુપ્રસિદ્ધ  સંતરામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલી રહી છે. ત્યારે સંતરામ રોડ ઉપર આવેલ સદવિચાર કાર્યાલય ખાતે ચાલી રહેલ સંતરામ મંદિર સંચાલિત દાંત વિભાગનું કાર્યક્ષેત્ર વધી જતા  સંતરામ મંદિર પાછળ, વીકેવી રોડ ઉપર આવેલ નેત્ર ચિકિત્સા લય ખાતે પ્રથમ માળે અદ્યતન મશીનરી સાથે દાંત વિભાગનો શુભારંભ કરાયો છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે સંતરામ મંદિર નડિયાદના મહંત પૂ. રામદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે પૂ. નિર્ગુણદાસજી મહારાજ, અગ્રણી ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ ઈપકોવાળા, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, વહીવટીય વડા રમણભાઈ વાળંદ , ભુપેન્દ્રભાઈ દેસાઈ તથા ડોક્ટરો, ભક્તો હાજર રહ્યા હતા. એક સાથે ત્રણ દર્દીઓની સારવાર આપી શકાય તે રીતે દાંત વિભાગ કાર્યરત રહેશે. અને દાંત વિભાગની તમામ પ્રકારની સેવાઓ અહીંયા ઉપલબ્ધ બનશે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નડિયાદ શાખા દ્વારા લાભ પાંચમ હોવાથી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત નેત્ર ચિકિત્સા લય ખાતે કરવામાં આવી છે. પ્રતિ વર્ષ નવા વર્ષની શરૂઆત અહીંથી જ કરવામાં આવે છે.

નરેશ ગનવાણી: નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- સગાઈની ના પાડતા યુવાનએ યુવતી પર કર્યા ચપ્પાના ઘા અને આપી જાનથી મારી નાખવાની ધમકી…

ProudOfGujarat

માંગરોળ કોંગ્રેસ સમિતિએ રસ્તાનાં પેચવર્ક અને રસ્તાની સાઈડનાં જંગલ કટીંગની લેખિત રજુઆત કરતા કામ શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત સાયબર ક્રાઈમ પોલીસે બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી, સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી આપશે ટિપ્સ!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!