Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવ કાનાણી.

Share

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ કાનાણી, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના ચૌહાણ, નિરવભાઇ તેમજ સિંચાઇ વિભાગના અન્ય ઇજનેરોએ ખેડા જિલ્લાના ઉતરસંડા, હેરંજ અને વડતાલના તળાવોની તાજેતરમા મુલાકાત લઇ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું. તેઓ એ તળાવો ઉંડા કરવા તેમજ અન્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. સુજલામ સુફલામ યોજના અન્વયે જિલ્લામાં ૭૫ તળાવો ઉંડા કરવાનું કામ ચાલી રહ્યું છે સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જિલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ખેડા જિલ્લાના દરેક તાલુકાઓમાં અમૃત સરોવર અન્વયે તળાવો ઉંડા કરવાની કામગીરી સત્વરે પુરી કરવામાં આવનાર છે. આ કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. કામ લોક ભાગીદારીથી થઇ રહ્યા છે. આ કામગીરી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી ચાલનાર છે તેમ સિંચાઇ વિભાગના ઇજનેર અમીનએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરાની બિગ બઝાર,બંસલ,ઓશિયા સુપર માર્કેટમાંથી ઘી સહિતના નમૂના લેવાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગને સમારકામ કરવા કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને પત્ર લખ્યો.

ProudOfGujarat

રાજપારડી ગામે ગટર પહોળી બનાવવાની કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!