Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

Share

નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સતત
વધવાના કારણે ૧લી જૂનના દિવસેનિર્મદા ડેમની જળ સપાટી ૧૨૩.૩૮મીટર હતી. જેના કારણે નર્મદા ડેમનાતમામ વીજ મથકોને સતત ૨૪કલાકે ચલાવવામાં આવી રહ્યા છે.
૧૨૦૦ મેગાવોટના રીવર બેડ પાવરહાઉસમાં રોજનું ૩૫ હજાર ક્યુસેક કરતાં પણ વધુ પાણી વપરાતા ડેમનીજળ સપાટી ઘટી રહી છે. નર્મદાડેમની જળ સપાટી ૧જૂનના દિવસે૧૨૩.૩૭ મીટર હતી. જે ઘટીનેઆજે નર્મદા ડેમની જળ સપાટી૧૧૬.૨૬ મીટર થઈ ગઈ છે. ડેમમાંલાઈવ સ્ટોરેજ પાણીનો જો ૬૭૦મિલિયન ક્યુબિક મીટર છે. અત્યારેરીવર બેડ પાવર હાઉસના ૨૦૦મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા ૫યુનિટ સતત ચાલુ છે. જેના કારણેરોજની એવરેજ ૧૪ મિલિયન યુનિટવીજળી પેદા થઈ રહી છે. ડેમના વીજ મથક સતત ચાલવાનાકારણે ૩૬૦૦૦ ક્યુસેક પાણીવીજમથકમાંથી ડિસ્ચાર્જ થાય છે.તેમજ મુખ્ય કેનાલમાં હાલ ૧૨હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવરનર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક રોજની ૮ થી ૧૦ હજારક્યુસેક રહેતી હોઈ છે. પરંતુ હવેચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે.ચોમાસામાં ઉપરવાસમાંથી વરસાદીપાણી ની આવક વધતી હોઈ છે. જેનાકારણે નર્મદા ડેમના ૧૨૦૦મેગાવોટના રિવર બેડ પાવર હાઉસનેસતત ચલાવવામાં આવી રહ્યાછે

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ખેડા : કઠલાલમાં નવોદય વિદ્યાલયનું 14.95 કરોડની ગ્રાન્ટથી શાળાના બિલ્ડીંગ સહિતનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1354 પર પહોંચી.

ProudOfGujarat

રાજપીપળા પાસેના કરજણ ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં 26 હજાર કયુસેક પાણી નદીમાં છોડાયુ : ડેમના ચાર ગેટ ખોલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!