Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ પંથકમા મેધરાજાએ છેલ્લા બે દિવસે વાજતે ગાજતે આવી મહાદેવને જળાભિષેક કરતા સર્વત્ર આનંદની લાગણી છવાઈ

Share

નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા મેધરાજાએ સોમવાર ની વહેલી સવારે પોતાની શાહીસવારી વાજતે ગાજતે લાવીને મહાદેવ ને જળાભિષેક કરતા સવઁત્ર આનંદ ની લાગણી ફરી વળી છે.નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમા ચાલુ ચોમાસા ની સિઝન દરમ્યાન મેધરાજા મન મુકીને નહિ વરસતા ખેડૂતોએ વાવણી કરે બીયારણ ને માંદ માંદ બે વખત જીવતદાન બક્ષયા બાદ મેધરાજા એ હાથ તાળી આપતા ધરતીપુત્રો ની આંખોમા આસુ આવી ગયા હતા. ચારે તરફ ચિંતાનો માહોલ જોવા મળી રહયો હતો.

તેવા સમયે જ ૧૨ દિવસ ના વિરામ બાદ એટલેકે રવિવાર ના રોજ મદયરાત્રિના ભારે વાદળો ની ગર્જના અને વિજળી કડાકાભડાકા શરૂ થયા હતા. જે બાદ મળસકે પોણા પાંચ વાગે શ્રાવણ માસ ના ચોથા સોમવારે મહાદેવ ને જળાભિષેક કરવા માટે જાણે આવી પહોચ્યા હતા. છેલ્લા ૩૪ એટલે કે તા,૩૧ ઓગસ્ટ ના રોજ બપોરના ૨ વાગ્યા સુધીમા ૪૩ એમ. એમ. એટલે કે પોણા બે ઇચ વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ ૪૮૫ એમ. એમ. એટલે કે ૧૯.૫ નોંધાયો છે.વરસાદ ને લઇ ને તમામ પાકો જીવતદાન મળી જતા ખેડુત ભાઇઓમા અનેરો આનંદ જોવા મળી રહયો છે.છેલ્લા બે દિવસ થી ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

ProudOfGujarat

પાનોલી જી.આઈ.ડી.સી નાં પોલ્ટ નંબર ૧૮ ખાતે આવી રહેલ કંપની પાનોલી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ લીમીટેડ દ્વારા કામ ચાલુ કરાતા એનો ઉગ્ર વિરોધ થયો હતો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેઘમહેર : ચાર તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!