Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : મરૂધર રાઈસ મીલનાં દાળમીલમાં કોઠાર ભરાયેલ છે કે કેમ તે જોવા જતાં આકસ્મિક સાફટીનમાં મહિલા ફસાઈ જતા મોત.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામની કલાવતીબેન દીનેશભાઈ વસાવાની ફરીયાદના આધારે મરૂધર રાઈસ મીલમાં તેની દેરાણી હસીનાબેન કમલેશભાઇ વસાવા તેના જ ગામની અન્ય ચાર બહેનો મજુરી કામ કરવા આવે છે,પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન હોવાથી ત્રણ-ત્રણ બેહનો વારાફરતી બે–બે દિવસે કામ ઉપર આવીએ છે,જે દરમ્યાન હસીનાબેન અને ભાવનાબેન દાળમીલવાળા ભાગમાં કામ કરતા હતા,સવારના 11 વાગ્યાંની આસપાસ દાળમીલવાળા ભાગમાં જોરથી અવાજ આવેલ તે વખતે દાળમીલનું મશીન ચાલુ હતા,અને અવાજ આવતો હતો અને ભાવનાબેને દાળમીલમાં અંદરના ભાગે જઇ હસીનાબેનને બુમો મારેલ પણ બોલેલ નહીં અને તેણે ઉપર જોઇને તરત મશીન બંધ કરી દીધેલ હતા.ભાવનાબેને બતાવતાં જોયેલ તો હસીનાબેન સાફટીનમાં ભેરવાયેલ હતી,જેથી ભાવનાબેન દોડીને બહાર ગયેલા અને બધાને બોલાવતાં શૈલેશભાઇ, કાન્તીભાઇ, વિનોદભાઇ અને રાજુભાઇ વગેરે દોડી આવેલા હતા.ઉપર ચડીને જોતા વાળ અને તેમની ઓઢણીથી મશીનના સાફટીન સાથે વિંટાઇ ગયેલી હાલતમાં હતી અને તેના બન્ને પગ કોઠારની એંગલ સાથે અથડાઇને કપાઇ જતાં હસીના કમલેશ વસાવાનું કરૂણ મોત નિપજ્યું હતું.જેનું પીએમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ.

ProudOfGujarat

શહેરા :વ્યાસવાડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર શહેરા પોલીસનો દરોડો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!