Proud of Gujarat
FeaturedGujarat

વલણ-પાલેજ ના મુખ્ય માર્ગ ના બાંધકામ માં રેલવે અધિકારીઓ દ્વારા અડચણો ઉભી કરાઇ.

Share

પાલેજ 8-06-2019
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

લોકસભાની ચૂંટણીઓ પેહલાં મજૂર થયેલાં પાલેજ વલણ રોડ નું બાંધકામ રેલવે અધિકારીઓ દ્વારા અટકાવતાં લોકો માં ભારે વિરોધ વંટોળ સાથે ઓહાપોહ મચી ગયો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ અને વલણ ગામ વચ્ચે ૩ કિલોમીટર નો માર્ગ પાકો બાંધકામ અંગે મંજૂરી મળી ગયા પછી અહીં રોડ બાંધકામ અંગે નો કોન્ટ્રાકટ પણ અપાય ગયો હતો.પરંતુ આચાર સહિતાં લાગુ થઈ જતાં કામ બંધ પડ્યું હતું.હાલ માં પાલેજ રેલવેસ્ટેશન સાથે જોડાયેલ ફાટક સુધી માં રોડ ની બંને સાઈડો ખુલ્લી કરવાં ની કામગીરી આરંભતા રેલવે અધિકારી એ કામગીરી અટકાવી ૨૦ મીટર રેલવે ની હદ માં રોડ ની કામગીરી નહિ કરવાં કોન્ટ્રાક્ટર ને સૂચના આપતાં કોન્ટ્રાક્ટર રોડ કામ પડતું મુકી જે.સી.બી મશીન લઈ રવાના થઈ જતાં ૩ કરોડ નાં ખર્ચે મંજુર થયેલો રોડ નું કામ ખાડે પડતાં વલણ ના તાલુકા સદસ્ય સીરાજ ભાઈ ઇખરીયાએ કરજણ નાં ધારાસભ્ય થી માંડી નાયબ કાર્યપાલક ઈજનેર કરજણ માર્ગ અને મકાન શાખા તેમજ નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆતો કરી રોડ કામગીરી સમય સર ચાલુ કરવામાં આવે વલણ પાલેજ રોડ જે વર્ષોથી રેલવે ફાટક સાથે જોડાયેલો છે એ મુજબ રોડ કામ થાય એવી માંગણી કરી છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

અંકલેશ્વર : ઓરેન્જ હોસ્પિટલના પાર્કિંગમાંથી ફોર વ્હીલ ઇકો ચોરીનો બનાવ સામે આવ્યો..!

ProudOfGujarat

પાલેજ જી.આઈ.ડી.સી માં આવેલી ભવાની કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!