Proud of Gujarat
EducationFeaturedGujarat

પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં ૧૫ ટકાનો વધારો.મધ્યમ વર્ગની હાલત કફોડી…

Share

દિનેશભાઈ અડવાણી

ઉનાળુ વેકેશન પૂર્ણતાની આરે છે અને શાળા શરુ થવામાં બે દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે ભરૂચ અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે પાઠ્યપુસ્તકો અને નોટબુકનાં વધેલા ભાવના કારણે વાલીઓના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટબુક અને પાઠ્યપુસ્તકોનાં ભાવમાં ૧૫ ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.મોઘવારીના સમયમાં પાઠ્યપુસ્તકોના ભાવ પણ વધતા લોકોના ખિસ્સા પર અસર પડી રહી છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પાઠ્યપુસ્તકોનો પુરતો જથ્થો પણ ન આપવામાં આવતો હોવાના આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

માંગરોળનાં ડુંગરી ગામે વરસાદ અને વાવાઝોડામાં મહિલાનું ઘર ધરાશાયી થયું

ProudOfGujarat

ગુજરાત સરકારના ખેડૂત વિરોધી કાળા કાયદાને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો ઐતિહાસિક ચુકાદો : વિક્રમસિંહ માંગરોલા.

ProudOfGujarat

કોર્પોરેટ જગતનું રૂ. 22.842 કરોડનું કૌભાંડ આખરે એબીજી ના કર્મચારીઓને તેમના હકના નાણાં ક્યારે મળશે ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!