Proud of Gujarat
FeaturedGujarat

પંચમહાલ-મોરવાહડફ તાલુકાના ખાનપુરમાં પશુ આરોગ્ય મેળો યોજાયો.

Share

પંચમહાલ રાજુ સોલંકી

સંવેદનશીલ ગુજરાત સરકાર આરોગ્ય પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ રહી છે ફક્ત માનવી જ નહીં પણ પશુઓને પણ સારી એવી આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટેના રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતી વિવિધ સરકારી યોજનાઓ પશુપાલકોને અવાર-નવાર ઉપયોગી નીવડતી હોય છે. જેના ભાગરૂપે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 2019માં 15માં કૃષિ મહોત્સવનું આયોજન પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ ખાનપુર ગામે યોજાયો હતો. જે અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ ગામોમાંથી ૮૨૩ પશુપાલકોએ આ મેળામાં વિનામૂલ્યે પોતાના પશુઓને સારવાર અર્થે લાભ મેળવ્યો હતો. આ મેળામાં પશુઓ માટે સર્જરી,તેમજ ગાયનેકોલોજી, કૃમિની રસીઓ તેમજ લોહી ચકાસણીની લેબની સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તથા પશુ પાલકો માટે જનજાગૃતિ અર્થે પ્રદર્શનની નું આયોજન પશુઆરોગ્ય મેળામાં કરવામાં આવ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ સંભવિત પુરનો ખતરો ટળ્યો : ગોલ્ડનબ્રિજે સપાટી મહત્તમ 19.35 ફૂટે સ્પર્શી પરત

ProudOfGujarat

ધરમપુરના તબીબની કમાલઃ દેશની સૌથી મોટી 1.365 કિલોની પથરીનું કર્યું સફળ ઓપરેશન, લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત થયું…

ProudOfGujarat

રાજપીપળા : શુલપાણેશ્વર અભ્યારણ્યમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્કાઉટસ એન્ડ ગાઈડસ દ્વારા નેચર સ્ટડી અને અવેરનેસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!