Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

Share

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા પંચમહાલ જિલ્લા સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આ દરમિયાન ગરીબો, શ્રમિકો, રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે જિલ્લાના ન્યાયાધીશશ્રીઓ આગળ આવ્યા હતા. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રી સહિતના જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા ફાળો એકત્રિત કરી જરૂરતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉં, ચોખા, તેલ, દાળ, ખાંડ સહિતની રાશન સામગ્રી સામેલ હતી. ગોધરા અને કાલોલ ખાતે આવી કુલ 200 કીટનું વિતરણ ન્યાયાધીશોશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોધરાના પોપટપુરા અને સારંગપુરા ગામ ખાતે વિધવા, અશક્ત કે ગરીબો સહિતના જરૂરિયાતમંદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું ધ્યાન રાખીને આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ધોરણ 10 નું 73.53 ટકા પરિણામ અને એમ.એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું 79.50 ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

જાંબુગોઢા અભિયારણ માં કેમિકલ ખાલી કરવા માટે 5 વ્યક્તિ ની વન વિભાગ દ્વારા ધરપકડ અને મુખ્ય સૂત્રધાર અંકલેશ્વર નો ગુડડું હાલ ફરાર…

ProudOfGujarat

લોકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મે થી રેલ્વે દ્વારા 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય,જાણો ક્યાં કયાં દોડશે ટ્રેન, કંઈ રીતે મેળવશો ટીકીટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!