Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલની ઔઘોગિક વસાહતોમાં કામદારોને પગાર ન અપાતો હોવાને લઇને કોંગ્રેસનું આવેદન.

Share

કોરોના વાયરસની ભીષણ મહામારી મધ્યેના રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 50 દિવસ ઉપરાંતથી થઈ ગયા છે ત્યારે ગતરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા હાલોલ મામલતદારને પંચમહાલનાં હાલોલ/કાલોલનાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને લોકડાઉનને કારણે ઘરનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ તંગી પડે છે અને કંપનીઓ ભારત સરકારનાં આદેશ મુજબ કર્મચારીઓને પગાર આપતી ના હોવાના આક્ષેપો કરતું આવેદન પત્ર આપ્યું હતું અને તેમાં દર્શાવેલ હતું કે આગામી દિવસોમાં પગાર ન ચુકવે તો પ્રતિક ઉપવાસ આંદોલન કરવાનું પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આવેદનપત્રમાં જણાવ્યું હતું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આગેવાનો દ્વારા આવેદનપત્રની નકલ લેબર કમિશનર-ગોધરા, મામલતદાર શ્રી કાલોલ, મામલતદાર શ્રી હાલોલ, અને પ્રાંત અધિકારીશ્રી હાલોલને નકલ રવાના કરેલ હોવાનું જાણવા મળ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં SOGનો દરોડો: વાસણની દુકાનની આડમાં ગાંજાનું વેચાણ પકડાયું

ProudOfGujarat

નવમા નોરતે અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડીમાં નવદુર્ગા બાલિકા પૂજન કરાશે

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ૧૦ ગામો દ્વારા નં. ૧ થી ૧૧ સુધીની વન સમિતિઓની માંગણીઓનું કાયમી નિરાકરણ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!