Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાના ધાધલપુર ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સફલા અગિયારસની ઉજવણી કરાઇ.

Share

શહેરા તાલુકાના ધાધલપુર સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામીનારાયણ મંત્રંના ૨૨૦ માં પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમા હરીભક્તો હાજર રહ્યા હતા.

શ્રી સહજાનંદ સ્વામીએ સંવત ૧૮૫૮ ની માગશર વદ – એકાદશી (તારીખ:૩૧/૧૨/૧૮૦૧) ગુરુવારના રોજ મંત્ર જાપ માટે “સ્વામિનારાયણ” નામ પ્રસિદ્ધ કર્યું હતું.”સ્વામિનારાયણ” મહામંત્રની ૨૨૦ મી પ્રાગટય જયંતી છે. વળી, આજની સામ્યતા એ છે કે શ્રી સહજાનંદ સ્વામીએ “સ્વામિનારાયણ” મહામંત્ર જાહેર કર્યો ત્યારે ગુરુવાર હતો અને આજે પણ એ જ ગુરુવાર છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર ખાતે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભકતોએ સાથે મળીને સ્વામિનારાયણ” મહામંત્ર ૨૨૦ મી પ્રાગટ્ય જયંતી, ધનુર્માસ, માગશર વદ એકાદશી – સફલા અગિયારસની ઉજવણી કરી હતી.

પંચમહાલ શહેરા રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

આમોદ : કેનાલમાં ભંગાણ પડતાં ખેડૂતનાં ઉભા પાકને નુકશાન થયું.

ProudOfGujarat

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુદ્ધ ફરિયાદ.

ProudOfGujarat

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે પાંચ આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!