Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને ડીજેના માલિકો સાથે બેઠક યોજાઈ

Share

હાલ વેકેશન ચાલી રહ્યું છે સાથે સાથે લગ્ન સિઝન પર ચાલી રહે છે ત્યારે કેટલાક લગ્નમાં ધામધૂમતી લગ્ન કરતા હોય છે ત્યારે કેટલાક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ડીજે વગાડતા હોય છે ત્યારે કેટલીક વાર ડીજે મોડી રાત્રે સુધી જોરથી વાગવાના કારણે કેટલાક રહીશો હેરાન પરેશાન થતા હોય છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરી સાહેબના અધ્યક્ષતામાં ડીજેના માલિકો સાથે બેઠક યોજાઈ હતી તેમાં પીઆઇ ચૌધરી સાહેબ દ્વારા સુચન કરવામાં આવ્યાં હતા કે રાતના 10 વાગ્યા પછી ડીજે વગાડવું નહીં જો રાતના 10:00 વાગ્યા પછી ડીજે વાગશે ત્યારે તેના ડીજે ના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજપીપળા પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી સાહેબ દ્વારા કડક સુચના આપવામાં આવી હતી.

Advertisement

આરીફ જી કુરેશી : રાજપીપળા


Share

Related posts

રાજપીપળા : સેલંબા ગામેથી ગાંજાનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા,

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા કે રકુલ પ્રીત, કોણે વધુ સારો મીની બ્લેક સિલ્વર ડ્રેસ પહેર્યો હતો?

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!