Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભ્રષ્ટાચાર : હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયાનું અનુમાન.

Share

નેત્રંગ તાલુકામાં ભર ચોમાસામાં નહીંવત વરસાદ થયો છે.પરંતુ મામુલી વરસાદી પાણીમાં જ નેત્રંગ ચારરસ્તા અને આજુબાજુના રસ્તાનું ભારે ધોવાણ થઇ ગયું છે.નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનોની અવરજવર રહે છે.વરસાદી પાણીના કારણે રોડ-રસ્તા ઉપર એક-એક ફુંટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે.

વરસાદી પાણી ખાડામાં ભરાઇ જવાથી વાહનચાલકોની મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના સજૉતા વાહનચાલકોના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.નહીંવત વરસાદમાં જ નેત્રંગ તાલુકાના રસ્તાનું ધોવાણ થવાથી રસ્તાના નિમાૉણની કામગીરીમાં હલકીકક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયાનું અનુમાન સેવાઇ રહ્યુ છે.જવાબદાર કોંન્ટ્રાકટર સામે સખત પગલા ભરવાની લોકમાંગ ઉઠી છે.જ્યારે માગઁ-મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રાઅવસ્થામાં જાગીને રસ્તાનું તાત્કાલિક પ્રાથમિક ધોરણે સમારકામ કરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર કાનપરાનાં પાટીયા પાસે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજયું.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા પાસે પેસેન્જર ભરેલી વાન પલટી: ૧ ઘાયલ…

ProudOfGujarat

ભરૂચમાં સમીસાંજે વાતાવરણ પલ્ટા સાથે વરસાદી માહોલ જામ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!