Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ દ્વારા આંગણવાડીમાં બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

આખા વિશ્વમાં મોહદ્દીસે આઝમ મિશન કાર્યરત છે અને સમાજ સેવામાં એક મોટી ભૂમિકા ભજવી રહ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહદ્દીસે આઝમ મિશનના વડા હૂઝુર શૈખુલઇસ્લામ મોહમદ મદની મીયાં અને હૂઝુર હસન અસ્કરી મિયાંના આદેશ અનુસાર વિશ્વની તમામ બ્રાન્ચને ઈસ્લામ ધર્મના મહાન પેગંબર ના જન્મદિવસે શાળાના બાળકોને ચોકલેટ વેચવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેનું પાલન કરીને આજે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા કુમાર શાળા ખત્રીવાડા પાસે આવેલી આંગણવાડી માં છોકરાઓને ચોકલેટ વિતરણ કરીને ઇસ્લામ માં મહાન પયગંબર નો જન્મ દિવસ નિમિત્તે એમની યાદ બનાવવામાં આવી હતી એમાં મોહદીષે આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ સાહાનવાજ ખાન પઠાણ ઇરફાન ખોખર નિઝામ રાઠોડ નાનું ભાઈ સોડા વાળા હનીફ અને આરીફ કુરેશી હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપીપળા ભાજપ પૂર્વ મહામંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે મોહદીષે આઝમ મિશન રાજપીપળા તરફથી પેગંબર સાહેબના જન્મદિવસ ઉજવવા માટે મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યો હતો સાથે સાથે મુસ્લિમ ભાઈઓ એ આજે જે ઉજવણી કરી આ કામ કોમી ભાઈચારા માટે કુમાર શાળા ખત્રીવાડા પાસે આવેલી આંગણવાડી માં વિદ્યાર્થી બાળકોને ચોકલેટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

રાજપીપળા. આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચમાંથી વધુ 1 પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી વિડીયો વાઇરલ.

ProudOfGujarat

અમદાવાદ : સારંગપુર બસ સ્ટોપ પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : પાલેજની કલ્પના નગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો પલાયન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!