Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં દેશભક્તિની થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા નદીના સાનિધ્યમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કરજણ જળાશય યોજના સિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે સાંજે ગરૂડેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

નૃત્ય રાગીની પર્ફોર્મીન્ગના કલાવૃદોએ ગણેશ વંદના,રીવર ડાન્સ કલાસિકલ , નર્મદા અષ્ટકમ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, દેશ રંગીલા, એ દેશ હે વીર જવાનો કા, જય હો વગેરે સહિતના વિવિધ ૧૨ જેટલાં નદીઓની મહતા દર્શાવતા દેશભક્તિના ગીતો-લોકગીતો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે કરજણ ડેમના કાર્યપાલક ઈજનેર એસ. એમ. પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી પી. એ. હાથલીયા, નાયબ કાર્યપાલક ઈજનેર એ.એસ. ઠકકર, અધિક મદદનીશ ઈજનેર પી. સી. પટેલ, મદદનીશ ઈજનેર હિતેશભાઈ વસાવા સહિત નર્મદા પરીક્રમાવાસીઓ, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

ProudOfGujarat

રાજકોટમાં આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!