Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : 31 મી ડિસેમ્બરના પર્વ ટાણે કુલ રૂ. ૨,૧૯,૮૮૦/- નો વિદેશી દારૂ ઝડપાયો.

Share

હજી હમણાં જ નર્મદામા ગ્રામપંચાયતની ચૂંટણી ટાણે નર્મદામા મોટાપાયે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હવે ચૂંટણી પછી હવે નર્મદામા 31 મી ડિસેમ્બરના પર્વ ટાણે ફરી એકવાર દારૂની રેલમ છેલ શરૂ થઈ છે. બુટલેગરો જાણે હમ નહીં સુધરેંગે કહેનારા બુટલેગરો એ ફરી એકવાર દારૂની હેરાફેરી કરતાં પોલીસ હરકતમા આવી ગઈ હતી. જેમાં રાજપીપલા નજીકથી કુલ ૨,૧૯,૮૮૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે એલ.સી.બી. નર્મદા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લામાંથીદારૂના દુષણને ડામવા તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અનેસુચનાનાં પગલે
એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાએ હાલમાં ૩૧ ડીસેમ્બર અનુસંધાને પ્રોહીબીશનની વોચ તથા કેસો કરવાના સુચના આધારે એલ.સી.બી. સ્ટાફના બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફના માણસો સાથે સાથે પ્રોહી.નાકાબંધીમાં હતા દરમ્યાન એક સફેદ ક્લરની
મારૂતી વેગેનાર ગાડી નં. જી.જે.-૨૨-એચ- ૦૭૩૭ ની શંકાસ્પદ જણાઇ આવતા ગાડીને રોકી ગાડીની ઝડતી તપાસ કરતાં દારૂ ફોરવ્હીલ ગાડીમાંથી
ઇગ્લીશ દારૂના હોલ નંગ-૩૬ કિ.રૂ. ૧૪,૮૮૦/- મળી આવતા ગાડી ચાલક વિજયકુમાર રમેશભાઇ વસાવા (રહે. જુના મોજદા રોડ, ડેડીયાપાડાની અટક કરી. પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે તે એસ.આર.પી.ગૃપ-૧૮ કેવડીયા ખાતે ફરજ બજાવે છે અને પ્રોહી મુદ્દામાલ અલ્પેશભાઇનરસિંહભાઇ વસાવા( રહે. પોસ્ટ ઓફીસ ફળીયું, ડેડીયાપાડા) પાસેથી લાવેલ હોવાનું જણાવતા જેથી ઇગ્લીશ દારૂના હોલ નંગ-૩૬ કિ.રૂ. ૧૪,૮૮૦/- તથા મારૂતી વેગેનાર ફોર વ્હીલ-૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૨,૧૯,૮૮૦/-ના મુદ્દામાલ સાથે આરોપી વિજયકુમાર રમેશભાઇ વસાવાની અટક કરી તેમજ આરોપી અલ્પેશભાઇ નરસિંહભાઇ વસાવાનેવોન્ટેડ જાહેર કરી રાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરી છે. નર્મદામા આટલી મોટાપાયે દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે દારૂના ધંધામાં સંડોવાયેલા બુટલેગરો બેરોકટોક દારૂની હેરાફેરી કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

નેત્રંગમાં વહીવટીતંત્ર દ્વારા ફ્લેગમાર્ચ યોજી કોવિડ-૧૯ ના સરકારના નિયમોનું પાલન કરવા અપીલ કરી.

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!