Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોળીના પર્વને ધ્યાને રાખી સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય : સોમવારે પણ ખુલ્લું રહેશે.

Share

આગામી ૯ માર્ચને સોમવારનાં રોજ હોળી પર્વે પ્રવાસીઓની લાગણીને ધ્યાને લઈને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નથી આવતો, પરંતુ હોળીના પર્વને ધ્યાને રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેકટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે તેથી હોળીની રજાનો પ્રવાસીઓ ઉપયોગ કરી શકશે.સાથે સાથે પ્રવાસીઓ soutickets.in અને એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન – statue of unity tickets (official) પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરાના વારસિયા વિસ્તારમાં ભંગાર વીણવા બાબતે બે મિત્રો વચ્ચેની તકરારમાં એકનું ઘટના સ્થળે જ મોત.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ ઓવર બ્રિજ પાસે સાંજ ના સમયે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત તેમજ એક બાળક ને ઈજાઓ પહોંચી હતી…જયારે ઘટના ને લઇ લોકો માં રોષ ફાટી નિકળ્યો હતો.  .

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમનારા 6 ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!