Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા 4 જેટલા રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાનાં રાજપીપળા ખાતે આવેલા છત્ર વિલાસનો બિસ્માર રસ્તો જે ઘણા સમયથી બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ જેનો આજે ખાતમુહુર્ત પાલિકાનાં કારોબારી સમિતીનાં ચેરમેન અલ્કેશ ગોહિલ વોર્ડનાં સદસ્ય કિંજલ તડવી, ભરત વસાવા સહિત મુખ્ય અધિકારી જયેશ પટેલ હાજર રહ્યા હતા. આ બાબતે કારોબારી ચેરમેન અલ્કેશ ગોહિલએ જણાવ્યું હતું કે વોર્ડ નં 7 માં તમામ રસ્તાઓ તેમજ નગરનાં રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે તેને મરામત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ વોર્ડ નં.7 નાં છત્ર વિલાસનો મુખ્ય માર્ગ બનાવવા માટે મુખ્ય અધિકારીને વોર્ડ સદસ્ય કિંજલ તડવીએ આવેદનપત્ર પણ આપ્યું હતું. તેમજ આજે કામગીરીનો પ્રારંભ કરતાં તમામ મજૂરોને તેમના તરફથી માસ્કનું વિતરણ પણ કર્યું હતું.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં બિસ્માર રસ્તાઓથી નાગરિકો ત્રસ્ત: વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં

ProudOfGujarat

ભરૂચ-નર્મદા જિલ્લામાં પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતગર્ત નડિયાદ સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!