Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

Share

ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદી ભરૂચનાં અનેક ગામોમાંથી પસાર થાય છે. ભરૂચ જીલ્લાનાં અસંખ્ય ગામડાંઓ નર્મદા તટે આવેલા છે. છેલ્લાં ઘણા સમયથી આ ગામનાં નર્મદા નદીના કિનારે ભયાનક મગરો જોવા મળ્યાની અનેક ઘટનાઓ બની છે. હાલમાં ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા કિનારે એક મોટા મગરે શ્વાનનો શિકાર કર્યાનો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. આ મગર અચાનક પાણીમાંથી બહાર આવી શ્વાનને પોતાનાં જબડામાં પકડી તેને પાણીમાં ખેંચી ગયો હતો. નર્મદા નદીનાં મગરો હવે છેક ભરૂચ જીલ્લાનાં અનેક ગામોનાં નર્મદા તટે દેખાવા લાગ્યા છે. આથી નર્મદા તટનાં અનેક ગામોનાં રહેવાસીઓમાં એક પ્રકારનો મગરનો ભય પ્રસરે તેમાં નવાઈ નહીં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા રાશનકાર્ડ ધારકોને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવતા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વરના નાંગલમાં પ્રાથમિક શાળાના બાળકોને શા માટે બેસવું પડે છે પંચાયત ભવનમાં ?

ProudOfGujarat

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ : ૬૫૦ થી વધુ લોકોનું સ્‍થળાંતર : અસરગ્રસ્‍તોને ફુડ પેકેટનું વિતરણ :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!