Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટયો છે સાત જેટલા લોકો સંક્રમિત થઈને આવતા ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.

Share

ભરૂચ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન કોરોના વાયરસ નિયંત્રણમાં હતો અને જેને લઇને જિલ્લાના લોકોને નિશ્ચિતપણે રહેતા હતા. પરંતુ ચોથા તબક્કાનાં લોક ડાઉન બાદ પાંચમા તબક્કાના લોક ડાઉન દરમિયાન મળેલી છૂટને પગલે લોકો જિલ્લાઓમાં એકબીજાથી મળવાનું શરૂ કર્યું રેડ ઝોનમાંથી લોકો આવતા ભરૂચ જિલ્લો ફરી સંક્રમિત થવાનું શરૂ થયું. ભરૂચ જિલ્લામાં હમણાં સુધીમાં ચાર લોકોના મોત થઈ ગયા છે, જ્યારે હમણાં સુધી 10 દિવસ પહેલા સંક્રમિત લોકોની સંખ્યા ૪૦ હતી પરંતુ છેલ્લા દસ દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા 28 સુધી પહોંચી ગઈ છે. જેમાં આજે સાત જેટલા લોકો કે જેવો સંક્રમિત દર્દીઓથી મળીને આવ્યા હતા તેવા લોકો સંક્રમિત થયા છે.જેમાં હાંસોટમાં 3, આમોદમાં 2, અંકલેશ્વરમાં 1 અને ભરૂચમાં 1 આરોપી સંક્રમિત થતા જિલ્લાનું વહીવટી તંત્રના આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.ભરૂચ જિલ્લાના બી ડિવિઝન પોલીસ મથકને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું. હાંસોટના જે ગામમાંથી ત્રણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા તે વિસ્તારને પણ સંક્રમિત જાહેર કરી ત્યાંના લોકોને આરોગ્ય તપાસ કરી કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આમ ભરૂચ જિલ્લામાં આજે સંક્રમિત થનારા લોકોની સંખ્યા 68 ઉપર પહોંચી ગઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ એસ ઓ જી પોલીસે અંકલેશ્વર ના નિરાંત નગર રોડ પર થી ગાંજા ના જથ્થા સાથે એક વૃધ્ધ ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ગ્રે વોટર પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારો મંજુર : સત્તાધીશોને લોકડાઉનમાં પ્રજાની દયા ન આવી.?!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!