Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં વાવાઝોડાથી કેળનાં પાકને મોટાપાયે નુકશાન થવાથી ખેડૂતોની નુકશાની વળતરની માંગ.

Share

નર્મદા જિલ્લામાં મુખ્યત્વે શેરડી અને કેળની ખેતી થાય છે ત્યારે હાલમાં જ  આવેલ વાવાઝોડાએ નર્મદા જિલ્લાના કેળની ખેતી કરતા ખેડૂતોને રાત પાણીએ રોતા કરી દીધા છે. જિલ્લામાં 1000 હેકટરમાં કેળનું વાવેતર થાય છે અને હવે આ કેળનો પાક તૈયાર જ હતો તેવામાં આ વાવઝોડાએ આ તમામ ઉભા પાકને નુકસાન પહોચાડ્યું છે.

જિલ્લાના  રાજપીપલા, ધમણાચા, ભચરવાળા ગામના ખેડૂતોનું કહેવું છે કે અમને કેળના એક છોડ પાછળ 125 રૂપિયા જેટલો ખર્ચ લાગે છે ત્યારે સરકારે સર્વે તો કર્યો છે પરંતુ અમને એક છોડ દીઠ 200 રૂપિયા પ્રમાણે વળતર આપે તો જ અમને વળતર  મળ્યું  કહેવાય. જોકે જિલ્લા નાયબ બાગાયાતી અધિકારી  એન.વી.પટેલ નું કહેવું છે કે સરકારની ગાઈડલાઈન મુજબ બાગાયતી પાકમાં એકરદીઠ  ઝીરોથી તેત્રીસ  ટકા સુધી નુકસાની માટે વળતળ  મળવા પાત્ર નથી પરંતુ તેત્રીસ  ટકાથી સાઠ ટકા સુધી નુકસાની વળતળ  ચુકવવમાં આવશે  જેમાં  એકરદીઠ વીસ હજાર રૂપિયા ચુકવવામાં આવશે જયારે ખેડૂતોનું કહેવું છે કે અમને ખર્ચ ઘણો આવે છે અને તે માટે સરકાર છોડ દીઠ વળતર ચૂકવે તોજ અમે આગામી વર્ષે ખેતી કરી શકીશું નહી તો અમે પાયમાલ થઇ જઈશું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળાથી રામગઢ જતા માર્ગનો નાળા સાથેનો રસ્તો તૂટી જતા ભ્રષ્ટાચારની બુમ ભૂતકાળમાં રાજપીપળાથી રામગઢ જવા માટે બનેલા પુલનો પીલ્લર પણ બેસી હતા તેની મરામત કરાઈ હતી

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કરજણ સેવાસદન ચોકડી પર અકસ્માત, ટ્રેલરની અડફેટે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

ધોરણ 10 અને 12 માં બે વિષયમાં નપાસ થનારને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!