Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સજોદ મા બાળકો એ ઝેરી પદાર્થ ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં..

Share

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરોનાં બાળકોએ ભૂલમાં કોઈક ઝેરી પદાર્થ ખાઈ લેતા પાંચ બાળકોની તબિયત લથડી હતી, જે તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અંકલેશ્વર નાં સજોદ ખાતે ખેત મજૂરીનું કામ કરતા મજૂરોનાં પાંચ બાળકોએ ભૂલ થી કોઈક ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો,જેના કારણે બાળકોની તબિયત લથડી હતી,અને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

Advertisement

આ બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ માંથી બાળકોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

બાળકોએ ખેતરમાં ડુક્કરનાં ત્રાસથી નાખવામાં આવેલી દવા ભૂલથી ખાઈ લેતા તબીયત લથડી હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે.

અંક્લેશ્વર તાલુકા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ આવે છે તે જોવુ રહેશે.


Share

Related posts

ધરમપુરના સજનીબરડામાં દેશી બનાવટી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું :નવસારી એસઓજીએ બે શખ્શોને દબોચ્યા…

ProudOfGujarat

પોલીસ તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમલદારોને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જાણો વધુ.

ProudOfGujarat

75 ટકા કે તેથી વઘુ માનસિક અક્ષમતા માટે માસિક 1000/-ની સહાય મળવાપાત્ર જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા સમાજસુરક્ષાને અરજી કરવાની રહેશે

ProudOfGujarat
error: Content is protected !!