Proud of Gujarat
GujaratFeaturedINDIA

લઠ્ઠો હોય કે કેમિકલ હોય, દારુકાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે – હર્ષ સંઘવી

Share

બોટાદ ઝેરી દારુકાંડ મામલે ગુજરાતમાં હડકંપ મચી ગઈ છે કેમ કે, 40 થી વધુ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે અને કેટલાક સારવાલ હજૂ પણ લઈ રહ્યા છે. ત્યારે આ મામલે મીડીયા સમક્ષ વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, લઠ્ઠો હોય કે કેમિકલ હોય, દારુકાંડમાં સંડોવાયેલા વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસ આ મામલે ગણતરીના દિવસોમાં જ ચાર્જસીટ ફાઈલ કરશે. ફાસ્ટ્રેકના માધ્યમથી ઝડપી લોકોને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હું તમને વિશ્વાસ અપાવવા માંગું છું કે, આ કેસમાં સંકળાયેલા કોઈને પણ છોડવામાં આવશે નહીં તેમના વુરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.

આ સાથે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઝેરી દારુકાંડમાં અસરગ્રસ્તોને છૂપાવવાના બદલે તેવા લોકોને શોધી શોધીને હોસ્પિટલ પહોંચાડવા માટે ગુજરાત પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું હતું કે, જે જવાબદારી આ વિસ્તારમાં જે તે અધિકારીની હતી તેમાં તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ મિથનોલ આલ્હોલ છે અને તેને કંટ્રોલ કેવી રીતે કરવો તેને લઈને સરકાર આ બાબતે પોલીસી બનાવી આગળ વધશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આમ આ કેસ મામલે એક પછી એક એમ તમામ વિષયોને લઈને તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સરકારી ગોડાઉનમાંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

અમદાવાદ : વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં યોજાઈ ચિત્ર સ્પર્ધા

ProudOfGujarat

ખેડા જિલ્લા પંચાયતના સ્વભંડોળનું રૂ. 978.20 લાખની પુરાંતવાળું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!