Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની વિદ્યાકુંજ શાળાનાં 7 વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની આબેહુબ રંગોળી બનાવી, સફળતા માટે પ્રાર્થના કરી

Share

આજે શ્રી હરિ કોટાથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા સમગ્ર દેશમાં ચંદ્રયાન-3 ના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે સુરતની વિદ્યાકુંજ શાળામાં ચંદ્રયાન-3 ની સફળતા માટે એક ખાસ પ્રકારની ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતની વિદ્યાકુંજના 7 જેટલા રંગોળી કલાકારો દ્વારા 22 કલાકની ભારે જહેમત બાદ ચંદ્રયાન-3 ની આબેહૂબ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં ચંદ્રયાન ફ્રન્ટના પ્રક્ષેપણનું આબેહૂબ ચિત્ર ઊભું કર્યું છે અને સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2.35 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન ત્રણને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ રહેશે.જાણો ક્યારે અને કેમ?

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી જે.બી કેમિકલ કંપનીની બાજુમાં આવેલાં ઝુંપડાઓમાં આગ લાગી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!