Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજી ની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ.

Share

ભારત સરકાર ના પૂર્વ રેલવે રાજ્યમંત્રી રાજ્ય સભાના સાંસદ શ્રી નારણભાઈ રાઠવા અને પૂર્વ ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ડો. તુષારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટના વરિષ્ઠ આગેવાન વિજયસિંહ ઠાકોરભાઈ પટેલ થોડા દિવસો અગાઉ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા ની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તેઓને સ્થાનિક કોંગ્રેસના આગેવાન કાર્યકરો દ્વારા આજે સત્કારવામાં આવ્યા હતા. તેઓની સાથે અંકલેશ્વર-હાંસોટ ના સેંકડો કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડી આજ રોજ વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ નવા જોડાયેલા આગેવાનોને કોંગ્રેસના નેતાઓએ ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.
આજરોજ ભારતીય જનતા પાર્ટીમાથી માજી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગોપાલભાઈ વસાવા, માજી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જયંતીભાઈ   સી વસાવા, અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય શ્રી બખ્તયાર પટેલ શહીત ચંદુભાઈ પટેલ વમલેશ્વર, ઠાકોર ભાઈ આહીર વમલેશ્વર, શંભુભાઈ પટેલ કડોદરા, ભગુભાઈ વસાવા આસ્થા, બળવંત સિંહ પરમાર આસ્થા, મનુભાઈ પરમાર માજી સરપંચ આસ્થા, રાજેશભાઈ પટેલ માલણપુર, છનાભાઇ આહીર ધંતુરીયા, મંગુભાઈ આહીર, રમેશભાઈ પટેલ પુનગામ, ગણપતભાઇ ભગુભાઇ પટેલ માજી સરપંચ સિસોદ્રા, બાલુભાઈ પટેલ ખરચ,નગીનભાઈ પટેલ ઓભા, નટવરભાઈ પટેલ કાંટા સાયણ, સૂર્યકાંત પટેલ સાહોલ, જમિયભાઈ પટેલ સુણેવકલ્લા, કેશવભાઈ પટેલ સુનેવકલા, નિલેષભાઈ પટેલ બાલોતરા, રવિન્દ્રભાઈ પટેલ કતપોર, નટવરભાઈ પટેલ સાથે ૫૦૦ થી પણ વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.પ્રાસંગિક પ્રવચનમાં નવા જોડાયેલા સહકારી અને રાજકીય આગેવાન શ્રી વિજયસિંહ પટેલે કોંગ્રેસે આવકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી કોંગ્રેસની વિચારધારા ને ઘરે-ઘરે પહોંચાડીને કોંગ્રેસને મજબુત કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો.તેમજ જનસેવાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.ભારત સરકારના માજી મંત્રી શ્રી તુષારભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનને ઉજાગર કરી તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ નીવડી છે એમ જણાવી કોંગ્રેસને સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી હતી. માજી રેલવે રાજ્યમંત્રી અને સંસદ સભ્ય શ્રી નારણભાઇ રાઠવાએ ભારતીય જનતા પાર્ટી છોડી ને કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ શ્રી વલ્લભભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેઓએ કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રાહિમામ તમામ વર્ગના લોકોને આગામી દિવસોમાં કોંગ્રેસની પડખે ઊભા રહે એવા પ્રયત્ન કરવા કાર્યકરોને  હાકલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલ સિંહ રાણા સંદીપ માંગરોલા મગનભાઈ પટેલ ઈકબાલ ગોરી સુલેમાન પટેલ ગફારભાઈ શેખ માનસિંગ ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન કરી તમામ આગેવાનો નુ કોંગ્રેસમા સન્માન થશે એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે અરવિંદભાઈ દોરાવાલા, જગતસિંહ વાસડીયા, ચેતનભાઈ પટેલ મોહનભાઈ બી પટેલ,શરીફ કાનૂગા,રફીક ઝગડીયાવાળા,જહાંગીર પઠાણ,પ્રદ્યુમ્ન વાસડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપાધ્યાય સહિત મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ,  એનએસયુઆઇ, સેવાદળના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ અંકલેશ્વર શહેરની નિરાંત નગર સોસાયટીમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને કોંગ્રેસના આગેવાનો સાથે નારણભાઇ અને તુષારભાઈ એ રૂબરૂ જઈ સાંત્વના પાઠવી હતી.કોવિડ ન્યાયયાત્રા દ્વારા મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર મળે એ માટે ફોર્મ ભરાવી તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

સુરત-શારજાહ વચ્ચે શરુ થશે પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટ….

ProudOfGujarat

પાટણમાં પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા ત્રણ ઈસમો 20 ફીરકી સાથે ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા : એમ.એસ.યુનિ.માં આર્ટસ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા 200 વિદ્યાર્થીએ ડીનનો ઘેરાવ કર્યો, બિલ્ડિંગ સામે ભારે હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!