Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઓલપાડના સાયણમાં શ્રમજીવી એ ઝેરી દવા પી જતા મોત નીપજયું

Share

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં ખેતરની બંગલીમાં રહેતો એક મહારાષ્ટ્રીયન શ્રમજીવી શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું છે.

વિગત મુજબ સાયણ રહેતા ખેડૂત મનોજભાઈ દલપતભાઈ પટેલે કાળીયા વગામાં આવેલ ખેતરમાં શેરડી વાવેતરનું વાવેતર કરેલ છે. આ ખેતરની બંગલીમાં મુળ મહારાષ્ટ્ર રાજ્યનાં નંદરબાર જિલ્લાનો શ્રમજીવી સુદામ દગા બીરાર(ઉ.વ.૫૪) રહેતો હતો અને ત્યાં ખેતમજુરી કરતો હતો. સુદામ બીરાર બંગલીમાં એકલો હતો, ત્યારે ગત મંગળવાર,તા.૨૯/૦૮/૨૦૨૩ નાં રોજ સાંજે-૬:૩૦ થી બીજા દિવસની સવારે-૭ઃ૩૦ કલાકના સમયગાળા દરમ્યાન કોઈ અગમ્ય કારણસર શેરડીમાં જીવાત મારવાની ઝેરી દવા પી જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

Advertisement

આ બાબતની જાણ મૃતકના પુત્ર ગોરખ બીરારને થતાં તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી જેના પગલે પોલીસે લાશનો કબજાે લઈ સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લાશનું પીએમ કરાવ્યું હતું. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એહકો સંતોષ મંગુ કરી રહ્યા છે.

આસ્તિક પટેલ


Share

Related posts

ભરૂચમાં NSUI નાં 51 માં સ્થાપના દિન નિમિત્તે વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેરનામાનો ભંગ કરી કામદારોને લઈ જતી બે ઈકો ગાડી ઝઘડિયા પોલીસે જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

ઝઘડીયા નજીક ગેરકાયદેસર પશુઓ ભરીને જતી ટ્રક પકડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!