Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જીલ્લામાં મળી આવેલ માનવ કંકાલ….જાણો ક્યાં….કેવી રીતે……કયા ગામમાં રોષની લાગણીનો લાવા ભભુકિયાં….

Share

સમગ્ર સુરત જીલ્લામાં ભુમાફિયાઓ બેફામ બની ગયા છે ગમે ત્યાં ખોદકામ કરી માટી કાઢી નફો કમાઇ લેવાની લાલચ જણાતા સુચી જીલ્લાના ગામે-ગામ માટી ખોદકામ થઇ રહ્યુ છે.આવા ભુમાફિયા પૈકી કેટલાક સુરત જીલ્લાના ગામોને પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે.આવો જ એક કિસ્સો હાલમાં બન્યો છે જે સમગ્ર જીલ્લામાં તપાસનો વિષય બન્યો છે.નવાઇ ની બાબત તો એ છે કે માટી ખોદ કામ કરતા કરતા માનવ કંકાલના અવશેષ મળી આવતા તંત્ર દોડતુ થયું બાકી સબ સલામત, તો ગજવા સલામતની રીતી નીતી અધિકારીઓ અપનાવી રહ્યા હતા જેમ કે માંડવી તાલુકાના અરેઠ ગામ ખાતે ગામના ગામીત ફળીયાથી ગવાસી તરફ જતા રસ્તામાં ગામીત સમાજનું સદીઓ પુરાણુ સ્મશાન આવેલ છે.ભુમાફિયાઓએ સ્મશાનને પણ ન છોડતા ખુબ ઉંડુ ખોદકામ કરી નાખ્યુ જેથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા જેથી તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી.બીજી બાજુ ગામીત સમાજમાં દુ:ખ સાથે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.કોણ હતા આ ભુમાફિયાઓ અને કોની પરવાનગીથી ખોદકામ કરાતુ હતુ.અત્યાર સુધી તંત્રના અમલદારો કેમ ચુપ રહ્યા આ બધી બાબતો તપાસનો વિષય બની ગયો છે.આ જમીન કોની છે જો ખાનગી જમીન હોય તો માનવ કંકાલ ના અવશેષો આવ્યા ક્યાંથી…શું કેટલાક લોકો આ જમીનને ખાનગી જમીનમાં ખપાવી રહ્યા છે કે આ જમીન ગામીત સમાજના સ્મશાનની છે ?? ચર્ચાઓ અનેક ચાલી રહી છે.શું છે વાસ્તવિક બાબત તે અંગે થોભો અને રાહ જુઓ…..

Advertisement

Share

Related posts

ભરૂચ:કે.જે.ચોક્સી પબ્લિક લાઇબ્રેરી અને મહેફિલના સંયુક્ત ઉપક્રમે ભરૂચની કળાપ્રેમી જનતા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અરવલ્લી:વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો-31 લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત…જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ માં ૧૦૮ નારી કાવડયાત્રા નીકળી… શ્રાવણ માસ નીમીતે શ્રી દિક્ષા ફાઉન્ડેશન દ્વારા નારી કાવડયાત્રા યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!