Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વસંતભીખાનીવાડીમાં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી.

Share

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ પર વસંતભીખાનીવાડીમાં કેટલાક વર્ષોથી શાકભાજી માર્કેટ ભરાય છે. અહીં ભરાતા શાકભાજી માર્કેટના લીધે ટ્રાફિક જામ થતો હોવાની સમસ્યા ઊભી થતી હતી. જેને લઇને સ્થાનિક કોર્પોરેટરો દ્વારા મહાનગર પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપરોક્ત શાકમાર્કેટમાં દબાણ હટાવતા લારીવાળા અને પાલિકાની ટીમ વચ્ચે સંઘર્ષ થયો હતો. જ્યારે લારીઓની સાથે સાથે શાકભાજી પણ ઉઠાવીને લઈ જતા લારી સંચાલકો રોષે ભરાયા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક કોર્પોરેટરના કહેવાથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઇને વેપારી આલમ પણ કોર્પોરેટર સામે રોષે ભરાયેલા હતા. તેઓ દ્વારા આ મામલે આગામી દિવસોમાં કોર્પોરેટર સામે તથા પાલિકા નીતિ સામે વિરોધ કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં તસ્કરો ત્રાટકયા : રિપેરિંગ માટે આવેલા ૧૫ જેટલા મોબાઇલ ચોરાતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર માં ૬ વર્ષના બાળકના અપહરણનાં ગુનામાં ઝડપાયેલી મહિલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ વિસ્તાર માં આવેલ મોનાપાર્ક સોસાયટીના ત્રણ જેટલા મકાનો ને તસ્કરોએ નિશાન બનાવી તરખાટ મચાવતા ખળભળાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!