Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ:માંગરોળ તાલુકાના કેટલાક ગામ ના આદિવાસી લાભાર્થી ઓને 2 થી10કિલો મીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જિલ્લા કલેકટરને રજૂઆત

Share

માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસી પરિવારોને 2થી10 કિલોમીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જવું પડતું હોવાથી આદિવાસી પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છીએ. ત્યારેગરીબ પરિવારોની ભારે હાલાકી ને ધ્યાનમાં લઇ માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતપટેલે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જે તે ગામોમાં સરકારી અનાજની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.
માંગરોળતાલુકામાં મહત્તમ 80% ગરીબ આદિવાસી પરિવારો વસવાટ કરે છે.તાલુકાના કેટલાક ગામો સરકારી અનાજની અન્ન વિતરણ વ્યવસ્થા હાલ માં ભેગી છે અને એકજ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પરથી આજુબાજુના બે ત્રણ ગામના લોકોને સરકારી અનાજનું વિતરણ કરવામાં આવે છે.આ ગામોનું અંતર ૨થી૧૦ કી.મી. જેટલુ દૂર છે.
અનાજ વિતરણ કરનાર સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાજનોને અનાજનો પુરવઠો જે તારીખે વેચાણ વિતરણ કરવાનો હોય છે. તેની જાણ પણ કરવામાં આવતી નથી.ઘણાં લોકોને સસ્તા અનાજ ની દુકાનના અનાજ માટે આંટા-ફેરા થતા હોય છે. તાલુકાના સુરાલી,ઘુંટી,આસોદલા સહિત ત્રણગામના લોકો એ અનાજ નૌગામા ગામે આવવું પડે છે. વાંસોલી ગામના લોકોએ કંટવા ગામ સુધી અને ઝિનોરાગામના લોકોએ મોસાલીગામ સુધી અનાજ લેવા આવવું પડે છે. ઝીનોરા થી મોસાલી ગામનું અંતર ઘણું દુર છે.
તાલુકામાં આવા અનેક ગામોછે.તેઓના ગામથી સરકારીસસ્તા અનાજની દુકાન ઘણી દૂર છે.અનાજ લેવા માટે મહત્તમ મહીલા આવતી હોય છે. જેમાં સમય અને ભાડા ભથ્થા બગડે છે.કેટલીક વખત ઓનલાઇન નેટનો પ્રોબ્લમ હોય, વીજળીનો પ્રોબ્લેમ હોય ત્યારે અનાજ મળી શકતું નથી.જેથી ગરીબવર્ગના લોકો ધંધા-રોજગાર બગડતા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.બીજી તરફ ગરીબ પરિવારોને સરકારી અનાજ લીધા વિના ચાલે તેમ નથી મહત્તમ ગરીબ પરિવારો સરકારી અનાજ પર નિર્ભર છે. ત્યારે જે તે ગામમાં સરકારી અનાજની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

જંબુસરના સરદારપુરા ગામે રીક્ષા પલટતા દબાઇ જવાથી ચાલકનું મોત

ProudOfGujarat

સુરતનાં ભરચક અવરજવરવાળા વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા ટીઆરબીના કર્મચારીઓ વાહનો અટકાવવા જતા એક ઓટો રીક્ષા પલ્ટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

કચ્છમાં બની રહેલા 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની આ છે વિશેષતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!