Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ:માંગરોળ તાલુકાના કેટલાક ગામ ના આદિવાસી લાભાર્થી ઓને 2 થી10કિલો મીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જિલ્લા કલેકટરને રજૂઆત

Share

માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં આદિવાસી પરિવારોને 2થી10 કિલોમીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જવું પડતું હોવાથી આદિવાસી પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છીએ. ત્યારેગરીબ પરિવારોની ભારે હાલાકી ને ધ્યાનમાં લઇ માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતપટેલે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જે તે ગામોમાં સરકારી અનાજની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.
માંગરોળતાલુકામાં મહત્તમ 80% ગરીબ આદિવાસી પરિવારો વસવાટ કરે છે.તાલુકાના કેટલાક ગામો સરકારી અનાજની અન્ન વિતરણ વ્યવસ્થા હાલ માં ભેગી છે અને એકજ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન પરથી આજુબાજુના બે ત્રણ ગામના લોકોને સરકારી અનાજનું વિતરણ કરવામાં આવે છે.આ ગામોનું અંતર ૨થી૧૦ કી.મી. જેટલુ દૂર છે.
અનાજ વિતરણ કરનાર સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર દ્વારા ગરીબ આદિવાસી પ્રજાજનોને અનાજનો પુરવઠો જે તારીખે વેચાણ વિતરણ કરવાનો હોય છે. તેની જાણ પણ કરવામાં આવતી નથી.ઘણાં લોકોને સસ્તા અનાજ ની દુકાનના અનાજ માટે આંટા-ફેરા થતા હોય છે. તાલુકાના સુરાલી,ઘુંટી,આસોદલા સહિત ત્રણગામના લોકો એ અનાજ નૌગામા ગામે આવવું પડે છે. વાંસોલી ગામના લોકોએ કંટવા ગામ સુધી અને ઝિનોરાગામના લોકોએ મોસાલીગામ સુધી અનાજ લેવા આવવું પડે છે. ઝીનોરા થી મોસાલી ગામનું અંતર ઘણું દુર છે.
તાલુકામાં આવા અનેક ગામોછે.તેઓના ગામથી સરકારીસસ્તા અનાજની દુકાન ઘણી દૂર છે.અનાજ લેવા માટે મહત્તમ મહીલા આવતી હોય છે. જેમાં સમય અને ભાડા ભથ્થા બગડે છે.કેટલીક વખત ઓનલાઇન નેટનો પ્રોબ્લમ હોય, વીજળીનો પ્રોબ્લેમ હોય ત્યારે અનાજ મળી શકતું નથી.જેથી ગરીબવર્ગના લોકો ધંધા-રોજગાર બગડતા ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.બીજી તરફ ગરીબ પરિવારોને સરકારી અનાજ લીધા વિના ચાલે તેમ નથી મહત્તમ ગરીબ પરિવારો સરકારી અનાજ પર નિર્ભર છે. ત્યારે જે તે ગામમાં સરકારી અનાજની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

ખેડા : જેમ્સ ઇન્ડિયન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ લેટર ઉપર ચિત્ર દોરી પત્રો પોસ્ટ કર્યા

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના જવાહર બાગ પાસે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી નિર્માણ પામનાર કોમ્પ્લેક્ષનું આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!