Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાંથી 18 દિવસથી લાપતા કિશોરીનું અપહરણ થયું છતાં પોલીસે તપાસ નહીં કરતાં લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

Share

સુરતના વરાછા વિસ્તારની કિશોરીનું 17 દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી. જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.હાલ પોલીસ દ્વારા કિશોરીના પરિવારને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા એલ.એચ રોડ અર્ચના સ્કૂલની બાજુમાંથી ગત 8 મી જાન્યુઆરીના રોજ 14 વર્ષ અને 9 માસની કિશોરીનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ મુદ્દે આરોપી કમલેશ જોધાભાઈ ભાલીયા સામે કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, કિશોરી હજુ સુધી ન મળી આવતા કિશોરીના પિતાએ પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાના અસંતોષ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯ માં થયેલ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડુતોના પાકને થયેલા નુકશાન અંગે ધરતીપુત્રોને અનુરોધ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના કાપોદરાની જમીન વિવાદ કેસમાં કોર્ટનો ચુકાદો.હાજીપીરની જમીનમાં થયેલા તમામ ફેરફાર નોંધ રદ કરવા આદેશ. જમીનને હાજીપીર દેવસ્થાનના નામે કરવા હુકુમ-દંડ વસૂલાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!