Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ન્યાય સંકુલમાં પણ કોરોના વાયરસના સંક્રમણને રોકવા તકેદારીનાં શ્રેણીબંધ પગલાંઓ લેવાયા છે.

Share

કોરોના વાઈરસની તકેદારીના ભાગરૂપે જિલ્લા કોર્ટમાં પ્રવેશતા તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 37 થી વધુ ડિગ્રી તાપમાન ધરાવતા લોકોને પ્રવેશ અપાયો નહોતો. સાથે કોર્ટમાં વિશેષ સાફસફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કોર્ટ બિલ્ડીંગના પ્રવેશ દ્વાર પર સૂચના લખી દેવામાં આવી છે કે પક્ષકારો તથા જે તે કામના સાક્ષીઓએ નામદાર કોર્ટમાં હાજર રહેવાની જરૂર નથી તેમજ જે તે કેસ અંગેની તારીખ વકીલને ફોન પર સંપર્ક કરીને મેળવી લેવા વિનંતી કરતો પત્ર ચોંટાડી દેવામાં આવ્યો છે.સાથે જ કોર્ટમાં અગત્યના કામ માટે આવતાં લોકોને ચેકીંગ બાદ પ્રવેશ અપાય છે. વકીલ,કર્મચારીઓ,કલાર્ક સહિતના તમામના ચેકીંગ કરવામાં આવી રહ્યાં છે. આ અંગે મુખ્ય સરકારી વકીલ નયન સુખવાલા અને બાર એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી.

Advertisement

Share

Related posts

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

ગુજરાતમાં અનુ. જાતિ (SC) અને અનુ. જનજાતિ (ST) ઉપર થતા અત્યાચારના વિરોધમાં ભરૂચ ખાતે રેલી યોજી અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!