Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ચોપાટી ખાતે ડોક્ટર્સ ડે નિમિતે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

Share

આજરોજ પહેલી જુલાઈના રોજ ડો. બી. સી. રોયના માનમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયરસ ડોકટરોએ પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વિના લોકોને મદદે આવ્યા હતા. જેમાં 1522 જેટલાં ડોકટરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેથી ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.

આજે પહેલી જુલાઈ ડોક્ટર્સ ડે નિમિત્તે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત તથા ફેમિલી ફિઝિશિયન એસોસિયેશનના સુરતના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર્સ ડે મનાવ્યો હતો.

જેમાં ડો. હિરલ શાહ, ડૉ. હરેશ ભાવસાર, ડો. ચંદ્રેશ જરદોશ, ડો. વિનોદ શાહ, ડૉ.રોનક નાગોરીયા, ડૉ.વિનોદ પટેલ તથા અન્ય ડોક્ટર મિત્રો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

Advertisement

જયદીપ રાઠોડ.સુરત.


Share

Related posts

નડિયાદના વસો તાલુકામાં ખેતરમાં ખેડૂતોને જાણ કર્યા વિના રેલ્વેના નવા ટ્રેક નાંખવા ખોદકામ કરતા રોષ.

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!