Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ચોપાટી ખાતે ડોક્ટર્સ ડે નિમિતે કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી.

Share

આજરોજ પહેલી જુલાઈના રોજ ડો. બી. સી. રોયના માનમાં ડોક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે, છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયરસ ડોકટરોએ પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વિના લોકોને મદદે આવ્યા હતા. જેમાં 1522 જેટલાં ડોકટરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેથી ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી.

આજે પહેલી જુલાઈ ડોક્ટર્સ ડે નિમિત્તે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન સુરત તથા ફેમિલી ફિઝિશિયન એસોસિયેશનના સુરતના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે કોરોનાની મહામારીમા મૃત્યુ પામેલા સમગ્ર દેશના ૧૫૨૨ ડોક્ટરોને શ્રદ્ધાંજલિ પાઠવી ડોક્ટર્સ ડે મનાવ્યો હતો.

જેમાં ડો. હિરલ શાહ, ડૉ. હરેશ ભાવસાર, ડો. ચંદ્રેશ જરદોશ, ડો. વિનોદ શાહ, ડૉ.રોનક નાગોરીયા, ડૉ.વિનોદ પટેલ તથા અન્ય ડોક્ટર મિત્રો કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.

Advertisement

જયદીપ રાઠોડ.સુરત.


Share

Related posts

કરજણ APMC ખાતે વડોદરા જિલ્લાના ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર રોડ પર આંગડીયાના કર્મીની આંખમાં મરચુ નાંખી ચપ્પુની અણીએ 45 લાખની લૂંટ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓ 15 થતાં કુલ આંકડો 367 થયો જ્યારે એક યુવાનનું મોત થયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!