Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર : લીંબડીના રાસ્કાના કાનાણી પરિવાર દ્વારા લીંબડી મહાજન પાંજરાપોળમાં એક લાખ એક હજાર રૂપિયાનુ દાન કરાયું.

Share

લીંબડી મહાજન પાંજરાપોળમા નિર્બળ અને નિઃસહાય અબોલ પશુઓને રાખવામાં આવી રહ્યા છે ત્યારે અંદાજીત રોજનો ખર્ચ આ પશુઓને ઘાસચારો નીણ સહિતનો એક લાખની આજુબાજુનો ખર્ચ છે ત્યારે બે હજાર અબોલ પશુઓ આ લીંબડી મહાજન પાંજરાપોળના સહારે જીવન જીવી રહ્યા છે ત્યારે આજે લીંબડી તાલુકાના કમ્લેશભાઈ કાનાણી એ એક લાખ એક હજાર રૂપિયા આ મહાજન પાંજરાપોળમાં દાન આપ્યું હતું.

ત્યારે સ્વઃ ગંગારામભાઈના જીવંત સમયે પોતાના પુત્ર કમલેશભાઈને કહેવામાં આવ્યું હતું કે બેટા તું લીંબડી મહાજન પાંજરાપોળમા દાન આપજે જે આજરોજ સ્વઃ તુકારામ કાનાણી અને સ્વ ગણપતભાઇ કાનાણીના ભાઈના હસ્તે એટલે કે કમલેશભાઈના હસ્તે અબોલ પશુઓને ઘાસચારો મળી રહે તે હેતુથી આજરોજ દાન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમયે આ પાજળાપોળના ટ્રસ્ટી રતીલાલ કાકા દ્વારા કાનાણી પરિવારનો આભાર માન્યો હતો.

કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ દામાવાવ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના મંગલેશ્વર(કબીરવડ) ખાતે તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

સુરત : બઢતીનાં લાભ આપવામાં એસ.ટી તેમજ પછાતવર્ગ સાથે અન્યાય થયો હોવાના વ્યારાનાં ધારાસભ્યનો આક્ષેપ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!