Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

Share

લીંબડી શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ ભાદરવા સુદ અગિયારસની ઠાકોરજીની પાલકી યાત્રા નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર, ગોવાળ મંદિર, તેમજ કડીયા મંદિર સહિતના વિવિધ મંદિરોમાંથી ઠાકોરજીની પાલકી યાત્રા શહેરના મહાલક્ષ્મી મંદિર ચોક, આઝાદ ચોક, ગ્રીનચોક તપસ્વી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી.

આ પાલખી યાત્રામાં સૌરાષ્ટ્ર નીમબાકૅ પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ સહિત મંદિરના કાર્યકરો તેમજ ભાવિકો જોડાયા હતા. ઠાકોરજીની પાલકી યાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

રાજપીપળા : તા.૯ મી જાન્યુઆરીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

વાંકલ ગામે પી.એમ. નું આત્મનિર્ભર અર્થવ્યવસ્થા અંગેનું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!