Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં જળ જીલણી અગિયારસ નિમિત્તે ઠાકોરજીની પાલખી યાત્રા નીકળી.

Share

લીંબડી શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ ભાદરવા સુદ અગિયારસની ઠાકોરજીની પાલકી યાત્રા નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર, ગોવાળ મંદિર, તેમજ કડીયા મંદિર સહિતના વિવિધ મંદિરોમાંથી ઠાકોરજીની પાલકી યાત્રા શહેરના મહાલક્ષ્મી મંદિર ચોક, આઝાદ ચોક, ગ્રીનચોક તપસ્વી ચોક સહિતના મુખ્ય માર્ગો પર નીકળી હતી.

આ પાલખી યાત્રામાં સૌરાષ્ટ્ર નીમબાકૅ પીઠ મોટા મંદિરના મહંત લાલદાસજી બાપુ સહિત મંદિરના કાર્યકરો તેમજ ભાવિકો જોડાયા હતા. ઠાકોરજીની પાલકી યાત્રાના દર્શનાર્થે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નડિયાદ મિશન રોડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં 11 કરોડની જિલ્લા પોલીસવડાની કચેરી બનાવી છતાં ભાડાના મકાનમાં કામ ચલાવે છે !

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!