Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 3200 મતદાર નોંધાયા.

Share

વડોદરા વકીલ મંડળની 18 પોસ્ટ માટે 41 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આજે વકીલ મંડળના 3200 મતદારો હોદ્દેદારોને ચૂંટશે. મતદાન એડવોકેટ હાઉસમાં યોજાશે, જે બાદ મતગણતરી હાથ ધરાશે. પ્રમુખ પદ માટે 2, ઉપપ્રમુખ માટે 3, જનરલ સેક્રેટરી માટે 3 ફોર્મ ભરાયાં છે તો મેનેજિંંગ કમિટીની 10 બેઠક માટે 21 ઉમેદવારે તો મેનેજિંગ કમિટીની મહિલા રિઝર્વની બે બેઠક માટે 4 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. વકીલ મંડળમાં પ્રમુખ પદ માટે એક, ઉપપ્રમુખની 1, જનરલ સેક્રેટરીની 1, જોઇન્ટ સેક્રેટરીની 1, ટ્રેઝરરની એક અને લાઇબ્રેરી સેક્રેટરીની 1 પોસ્ટ છે., જ્યારે લેડિઝ રિઝર્વની 2 અને મેનેજિંગ કમીટીની 10 બેઠક મળી કુલ 18 હોદ્દા માટે આજે મતદાન થશે અને મતદાન પુરુ થયા બાદ મતગણતરી થશે.

વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે નલીન પટેલ અને હસમુખ ભટ્ટે ફોર્મ ભર્યું છે. તો ઉપપ્રમુખ માટે રાહુલ ભટ્ટ, રાજુ ધોબી અને ભાસ્કરરાવ નિલકે ફોર્મ ભર્યાં છે. જનરલ સેક્રેટરીમાં રિતેશ ઠક્કર, બિરેન શાહ અને હર્ષદ પરમારે ફોર્મ ભર્યું છે. જોઇન્ટ સેક્રેટરીમાં નેહલ સુતરીયા અને મયંક પંડ્યાએ ફોર્મ ભર્યાં છે. ટ્રેઝરરમાં નિમીષા ધોત્રે અને અનિલકુમાર પૃથીએ ફોર્મ ભર્યું છે. લાઇબ્રેરી સેક્રેટરીમાં દક્ષય ભટ્ટ, જેમ્સ મેકવાન,ધર્મેન્દ્રસિંહ શિનોરા અને પરવેઝ વોરાએ ફોર્મ ભર્યું છે.

વકીલ મંડલમાં મેનેજિંગ કમીટીની બે બેઠક મહિલાઓ માટે રિઝર્વ છે જેમાં ચાૈહાણ આકાશી, પરમાર વૈશાલી, ત્રિવેદી ધૃપ્તિ, અને ઉગલે ધ્વનીએ ફોર્મ ભર્યું છે. તો મેનેજિંગ કમીટની 10 બેઠક માટે જે 21 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે તેમાં બારીયા ધવલસિંહ, ગાયકવાડ રવીરાજ,ગોહીલ, અજયકુમાર,જયનંદાની દીપેશ, જોષી દિશાંત, કાળે શ્રીકાંત, ખોકર મંજૂરહક, મિશ્રા સપનાકુમારી, મિસ્ત્રી દિપ્તી, પરમાર પ્રદિપસિંહ, પટેલ અંકિતકુમાર, પટેલ ધવલકુમાર, પટેલ કોમલ, પવાર સિદ્ધાર્થ, રામચંદાની ગાયત્રી, રાવ વિવેકકુમાર, શર્મા કૃપલ, સોલંકી પરેશકુમાર, ઠક્કર રોમીન, ઠક્કર વિરાજ અને વ્યાસ ભાવીનનો સમાવેશ થાય છે.

ચૂંટણી અધિકારીએ દ્વારકેશ હરિભક્તિએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત તમામ રિઝલ્ટ મતદાનના દિવસે જ જાહેર કરવામાં આવશે. મતદાન બેલેટ પેપરથી થશે અને તમામ હોદ્દા માટેની મતગણતરી પણ એક સાથે થશે. રાતના 12 સુધીમાં રિઝલ્ટ આવે તેવી શક્યતા છે. મતગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે અને લાઇવ રિઝલ્ટ ઘરે બેઠા પણ જોઇ શકાશે. તેમજ રિઝલ્ટ માટે સ્ક્રીન પણ ગોઠવવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ભાલોદ ગામથી જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપલાની સિવિલ હોસ્પિટલ ખાતે લેબ-ઓપરેશન થિયેટરનાં સાધનની ઉપલબ્ધિ કરાઇ.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!