Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં આગ…

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટમાં સ્ક્રેપનાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી.

અંકલેશ્વરનાં અંસાર માર્કેટમાં આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં અચાનક આગ લાગી જતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બેકાબુ બની હતી. અને ધુમાડાનાં ગોટે ગોટા વાતાવરણમાં ઉડતા આકાશ કાળુડિબાગ થઈ ગયુ હતુ. જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટ જોવા મળતો હતો.

Advertisement

સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ અંગેની જાણ પાનોલી નોટીફાઈડ એરિયા ફાયર સ્ટેશન, અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયરબ્રિગેડ ના લાશ્કરો લાયબંબા સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, અને આગને કાબુમાં લેવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા. અંન્કલેશ્વર ના એસ.ડી.એમ. ભગોડીયા, પી.એસ.આઇ.સકોરીયા તેમના સ્ટાફ પણ દોડી આવ્યો હતો.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરુ કરવામાં આવી છે. જોકે સ્ક્રેપનું ગોડાઉન હોવાનાં કારણે આગમાં કાયા પ્રકારનો કચરો સળગ્યો છે કે સળગાવાયો, તે જાણવું મુશ્કેલરૂપ બન્યું છે. પરંતુ કેમિકલ યુક્ત જોખમી કચરો આગમાં બળી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.


Share

Related posts

મુંબઈના આર્ટિસ્ટે નવરાત્રિ દરમિયાન માતાજીના નવલા રૂપમાં દેવીરૂપે વૉરિયર્સના પોસ્ટર શેર કર્યા

ProudOfGujarat

ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

ProudOfGujarat

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat
error: Content is protected !!