Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પી.એમ મોદી પર વિવાદિત નિવેદન કરતા વડોદરા ભાજપ દ્વારા આવેદનપત્ર આપી પૂતળા દહન કરાયું.

Share

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી પર કરેલા આપત્તિજનક અશોભનીય નિવેદન ના વિરોધમાં આજે જિલ્લા ભાજપ દ્વારા પૂતળા દહન અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલની આગેવાનીમાં સમાના જિલ્લા ભાજપ કાર્યાલય બહાર પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળાં દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ યુવા મોરચા અને જિલ્લા ભાજપના આગેવાનો એ જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી એસ પ્રજાપતિને આ પત્ર આપી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર માઁ શારદા ભવન ટાઉનહોલ ખાતે રૂપાણી સરકારના ૫ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજકોટના જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર 3 આરોપી ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ ના સાયકલીસ્ટ સ્વેતા વ્યાસ અને વિવેક પટેલ પહોંચ્યા અમદવાદ,સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ માં આપી હાજરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!