Proud of Gujarat
FeaturedGujaratINDIA

લોકડાઉન વચ્ચે અંકલેશ્વર રાજપીપળા માર્ગનું ગુંચવાયેલું કામ વિસરાયું.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મહત્વના મનાતા અંકલેશ્વર રાજપીપળા ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી અધુરી પડી રહેતા જનતામાં રોષ જણાતો હતો.કોરોનાને લઇને ભારતમાં લોકડાઉન જાહેર કરાયુ ત્યારે કોરોનાની મહામારીએ આ બિસ્માર બનેલા માર્ગની બિસ્મારતા જાણે ભુલાવી દીધી છે.પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ તરત જ રોડની અધુરી કામગીરી પુર્ણ કરવામાં આવે એવું પણ જનતા ઇચ્છી રહી છે.અત્યારે લોકડાઉનને લઇને વાહનોની અવરજવર બંધ છે.પણ લોકડાઉન ખુલતા જ વાહનોની રફતાર ધબકતી થશે તે પણ એક વરવી હકીકત છે.તેથી આ બાબતે અસરકારક આયોજન કરાય તે પણ જરૂરી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વાંકલમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં પેસા એક્ટ અને સમતા જજમેન્ટના અમલની માંગ ઉઠી.

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ને. હા. 48 પરથી ગેરકાયદેસરનો 40 હજાર લીટરની મત્તાનો બાયોડીઝલનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!