Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સર સયાજી ગાયકવાડ હોસ્પિટલમાં એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી (એટીએફ) નો પ્રારંભ કરાયો.

Share

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નશા મુક્ત ભારત અભિયાન તહત અહીની સર સયાજી ગાયકવાડ હોસ્પિટલમાં એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટી (એટીએફ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વડોદરા ઉપરાંત જામનગર અને મહેસાણામાં પણ એટીએફની સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં વિવિધ તબક્કાની સારવાર આપીને નાગરિકોને વ્યસન મુક્ત થવા માટે મદદ કરવામાં આવશે. ખાનગી દવાખાનામાં એક વખતની રૂ. ત્રીસથી ચાલીસ હજારની સારવાર અહીં સાવ વિનામૂલ્યે આપવામાં આવશે.

એસએજી હોસ્પિટલમાં વોર્ડ નંબર ૧૪, માનસિક રોગોના વિભાગ પાછળ શરૂ કરવામાં આવેલા એટીએફનું દિલ્લીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક કક્ષાએ કલેક્ટર અતુલ ગોર અને ડીસીપી અભય સોની આ સમારોહમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી શાહે નશા મુક્ત ભારત અભિયાનની નીવ રાખી છે. તેનું પરિણામ આ એટીએફ છે. તેમાં સારવાર લેવામાં આવનારા દર્દીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

એ વાત સર્વ વિદિત છે કે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક એવા માદક પદાર્થોના સેવનથી વ્યક્તિની પારિવારિક, શારીરિક અને આર્થિક હાલત કથળી જાય છે. બહુધા વ્યક્તિ નશો છોડવા માટે તૈયાર હોય છે, પણ તેને યોગ્ય માર્ગદર્શન કે સારવાર મળતી નથી. હવે આ નશા મુક્તિ કેન્દ્ર આવા વ્યક્તિનો સહારો બનશે.

Advertisement

એસએસજી હોસ્પિટલમાં પ્રતિમાસ સરેરાશ ૧૫૦ વ્યક્તિ નશા મુક્તિની સારવાર માટે આવે છે. તેમાંથી અડધા સેલ્ફ મોટિવેટેડ અને બાકીના લોકોને પરિવારજનો કે લોકો સારવાર માટે લઇને આવે છે. શરાબ, અફીણ, ગાંજો, ચરસ કે અફીણનું સેવન કરતી વ્યક્તિ માટે અલગઅલગ સારવાર પદ્ધતિઓ હોય છે. આવી વ્યક્તિ વ્યસન છોડે એટલે તેને ખેંચ કે અન્ય દર્દ થવાની શક્યતા રહે છે. આથી તેને તબીબોની નિગરાની રાખવામાં આવે છે. બજારમાં મોંઘા ભાવે મળતી દવાઓ એસએસજીમાં સાવ સસ્તા દરે આપવામાં આવે છે. વળી, મનોચિકિત્સકો દ્વારા દર્દીને સમજણ આપવામાં આવે છે.

આટલું જ નહીં, સરકારના નિયંત્રણમાં રહેલી દવાઓ પણ આપવામાં આવે છે. એટલે કે, બજારમાં વેંચી ના શકાય એવી દવાઓ દર્દીઓને આપવામાં આવે છે. અહીં આવતા દર્દીઓને રિપલ્સ પ્રિવેન્શનના સેશન પણ ખૂબ જ જરૂરી હોય છે. મતલબ કે, એક વખત નશા મુક્તિની ટ્રીટમેન્ટ થઇ ગયા બાદ ઘરે ગયેલા દર્દીઓને ફરી નશો કરવાની ઇચ્છા ના થાય એ માટે ફરી વખત કાઉન્સેલિંગ માટે આવવું પડે છે. એક દર્દીને ઓછામાં આછું ત્રણ વખત સારવાર કે કાઉન્સેલિંગની આવશ્યક્તા રહે છે. એસએસજીમાં આવા દર્દીઓ પૈકી કેટલાક ભારે ગુસ્સો કરવાની ટેવ ધરાવતા હોય છે, આવા વાયોલન્ટ દર્દીઓને બીજી દવા આપવી પડે છે.

વડોદરાના એડિક્શન ટ્રિટમેન્ટ ફેસિલિટીમાં હાલમાં એક હેડ, એક મેડિકલ ઓફિસર, એક મનોચિકિસ્તક સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આવી સુંદર સુવિધાનો બંધાણીઓએ લાભ લેવો જોઇએ. નશો કરતી વ્યક્તિના પરિવારો પણ આ કેન્દ્રનો સંપર્ક સાધીને સારવાર અપાવી શકે છે.


Share

Related posts

ભરૂચ રાજપિપળા વચ્ચે વધુ લોકલ એસ.ટી બસ સેવા સઘન બનાવવા માંગ.

ProudOfGujarat

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!